લાલપુર તાલુકાના પીપરટોડા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
જામનગર તા.21 સપ્ટેમ્બર, લાલપુર તાલુકાના પીપરટોડા ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 71 લાભાર્થીના 501 પશુઓને મેડીસીન સારવાર, ગાયનેક સર્જરી અને અને કૃમિનાશક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વછતા હી સેવા અભિયાન ગામમાં સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ/કે.સી.સી.ના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સહભાગી થયેલા સર્વે પશુપાલકોને સ્વચ્છ દૂધ ઉત્પાદન, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુકલ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોલિવૂડ માટે આત્માને વેચવો પડે છે, સિદ્ધાંતો છોડી દેવા પડે છે: રિદ્ધિ ડોગરા
May 23, 2025 11:35 AMજામનગરમાં મહિલા પર દુષ્કર્મની ‘ઝાડું’ ફેરવનાર ‘આપ’નો કાર્યકર જેલભેગો
May 23, 2025 11:34 AMજામનગરમાં આજે માવઠાની આગાહી વચ્ચે બફારો
May 23, 2025 11:32 AMદ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું પિયર
May 23, 2025 11:30 AMપોસ્ટમાં પટાવાળાની નોકરી મેળવવાની લાલચમાં યુવકે રૂા.૩.૩૧ લાખ ગુમાવ્યા
May 23, 2025 11:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech