પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. શાંગલા જિલ્લામાં આ હુમલામાં પાંચ ચીની નાગરિકો સહિત છ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આત્મઘાતી હુમલો ચીની નાગરિકોના વાહનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ આત્મઘાતી હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા કલાકો પહેલા જ બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝ પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાનનું મોત થયું હતું. સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ખૈબર પખ્તુનખ્વાના શાંગલાના બિશામ તહસીલમાં વિસ્ફોટકોથી ભરેલા વાહને બીજા વાહનને ટક્કર મારી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનાની જે તસવીર સામે આવી છે, તેમાં તમે એ પણ જોઈ શકો છો કે વિસ્ફોટ બાદ એક વાહન ખાડામાં પડેલું જોવા મળે છે. વિસ્ફોટના કારણે તેમાં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વાહનને નિશાન બનાવવામાં આવ્યું તેમાં ઘણા ચીની નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. અન્ય એક નાગરિકનું પણ મૃત્યુ થયું છે.
છેલ્લા બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા વધી ગયા છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક ચીની નાગરિકોના મોત થયા છે. મોટાભાગના હુમલા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારોમાં કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech