લાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

  • May 14, 2025 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાના લાલપુરમાં ગોહિલવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજેશ બુધાભાઈ પરમાર નામના ૩૫ વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ હિતેશ બુધાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ એ. એમ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહના કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે આત્મહત્યાના પગલાં અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application