આજે ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે, પ્રેમીઓનો દિવસ છે પરંતુ 2019 માં આ દિવસની શરૂઆત ભારત માટે એક અંધારી સવાર સાથે થઈ. આત્મઘાતી હુમલામાં 40 થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા. પુલવામામાં થયેલા હુમલાએ કરોડો ભારતીયોના હૃદયને હચમચાવી નાખ્યું હતું. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ લગભગ ૨૫૦૦ સીઆરપીએફ સૈનિકો ૭૮ બસોમાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારબાદ અવંતિપોરાના ગોરીપોરા નજીક, વિસ્ફોટકોથી ભરેલી એક કાર બસ સાથે અથડાઈ અને એક ભયંકર અકસ્માત થયો. જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે તેના ફોટા જોઇને પણ લોકો ડરી જાય છે. આ હુમલા પછી તરત જ આતંકવાદીઓએ CRPF જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો. સૈનિકોએ પોતાની જાત પર કાબુ રાખ્યો અને વળતો જવાબ આપ્યો અને આતંકવાદીઓને ભાગી જવા મજબૂર કર્યા. આ હુમલો કોણે કર્યો? અને તે સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું?
કાશ્મીરનો એક માણસ ચલાવી રહ્યો હતો કાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં પોલીસે હુમલાખોરની ઓળખ કરી લીધી છે અને જાણવા મળ્યું છે કે કાર ચલાવનાર આત્મઘાતી હુમલાખોર જમ્મુનો 22 વર્ષીય આદિલ અહમદ ડાર હતો. જે કાશ્મીરનો હતો અને 2 વર્ષ પહેલા જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો હતો.
આ અંગે માહિતી આપતાં, આદિલ અહેમદ ડારના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓએ માર્ચ 2018 પછીથી આદિલને જોયો નથી. તે પોતાની સાયકલ પર ક્યાંક બહાર ગયો અને ક્યારેય પાછો ફર્યો નહીં. આ ભયાનક હુમલો કરનાર આદિલ અહેમદ ડારને સુરક્ષા કર્મચારીઓએ 6 વખત ચેકિંગ દરમિયાન પકડી લીધો હતો પરંતુ દર વખતે તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવતો હતો.
ભારતે હવાઈ હુમલાથી બદલો લીધો
આ ભયાનક આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓને પાઠ ભણાવવા અને શહીદોના મૃત્યુનો બદલો લેવા માટે ભારત સરકારે હુમલાના 12 દિવસ પછી 25 ફેબ્રુઆરી 2019 ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો. ભારતીય વાયુસેનાના 300 વિમાનોએ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો અને 300 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા. પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ જૈશ-એ-મોહમ્મદનો કામરાન હતો. તેને પણ સુરક્ષા દળોએ લાંબા ઓપરેશનમાં ઠાર માર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech