એક સમયે રાસાયણિક ખાતર દ્રારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી (બોદાનાનેસ) ગામના એક ખેડૂત છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમાંથી મબલખ પાકનું ઉત્પાદન મેળવી અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે.
કદમગીરી ગામના ખેડૂત વનરાજભાઈ કામળીયા છ વર્ષ પહેલાં આત્મા પ્રોજેકટના અને બાગાયતી સેમિનાર દ્રારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતીની શઆત કરી હતી. આજે તેઓ એક વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે.
આ ઉપરાંત છ વર્ષમાં સંખ્યાબધં ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લીધી છે તેમજ એમણે સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતીના સેમિનારના માર્ગદર્શન થકી તેઓ પણ લાખોની આવક મેળવતા થયા છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેઓ કપાસ, શિંગ, સરગવો, કેળની ખેતી થકી ઉત્પાદન મેળવે છે. ગાય આધારિત ખેતીમાં તેઓ દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છંટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સાં મળે છે. તેમના ખેતરમાં ઉત્પાદિત થયેલો માલ જુદા જુદા જિલ્લાનાં માર્કેટયાર્ડમાં વેચાણ કરીને મબલખ આવક મેળવે છે.
તેમણે જણાવ્યું કે, રાયપાલ આચાર્ય દેવવ્રત અને રાય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ખુબ મદદ કરી રહ્યા છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેકટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતના ખેતરોની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન આપી ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે તથા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહન પૂં પાડે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં સલાયાના રક્તદાતાઓએ કર્યું રકતદાન
April 07, 2025 10:18 AMટ્રમ્પના ટેરિફ ટેરરથી વોલ સ્ટ્રીટમાં 'તબાહી', જાપાનનો નિક્કી 8% ડાઉન, કોરિયન શેર 5% તૂટ્યું
April 07, 2025 09:57 AMજાપાન અને કોરિયન શેરબજાર બાદ ભારતીય શેર બજારમાં ભૂકંપ, ખુલતાની સાથે જ 3241 પોઈન્ટનો કડાકો
April 07, 2025 09:38 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech