ખંભાળિયાના જાણીતા શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી પરિવારના એક મહિલા ગઈકાલે સવારે સ્કૂટર પર બેસીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે સ્કૂટર પરથી પટકાઈ પડતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના પ્રાચીન અને સુપ્રસિદ્ધ એવા શ્રી કલ્યાણરાયજીના મંદિરના પૂજારી પરિવારના મહિલા જયશ્રીબેન શૈલેષભાઈ બલભદ્ર (ઉ.વ. 70) શુક્રવારે સવારે આશરે નવેક વાગ્યાના સમયે દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવના દર્શન કરવા એક પરિચિત સાથે મોટરસાયકલ પર બેસીને જવા નીકળ્યા હતા. ત્યારે દ્વારકા માર્ગ પર લીંબડી ગામ નજીક પહોંચતા તેઓ અકસ્માતે સ્કૂટર પરથી નીચે પડી ગયા હતા. સ્કૂટર પરથી પટકાઈ પડેલા જયશ્રીબેનને માથામાં હેમરેજ જેવી ઈજાઓ થતા તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ધુળેટીના સપરમા દિવસે બનેલા આ બનાવે અહીંના બ્રહ્મ સમાજ સાથે શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોઠડા પાસે ત્રણ મિત્રો તળાવમાં ડૂબ્યા: બેનો બચાવ એકનું મોત
March 15, 2025 03:33 PMરામનાથપરામાં મુસ્લિમ યુવક પર ધરાર કલર ઉડાવી,થાંભલામાં માથા અથડાવ્યા
March 15, 2025 03:31 PMહોળી જોવા ગયેલી પરિણીતાની છેડતી,ફરિયાદ કરતા તેના પતિને છરી ઝીંકી
March 15, 2025 03:19 PMકરણપરામાં વેપારીના ઘરમાંથી બંધ મકાનમાંથી રૂ.૩.૨૫ લાખની ચોરી
March 15, 2025 03:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech