બિહારના કટિહારમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેના કારણે કટિહાર-ન્યૂ જલપાઈગુડી માર્ગ ખોરવાઈ ગયો હતો.જો કે મોટી દુર્ઘટના ટળી જતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે થોડા સમયથી ટ્રેન દુર્ઘટનાની વધતી સંખ્યા રેલ્વે મંત્રાલય માટે ચિંતાનું કારણ બની રહી છે.
બિહારના કટિહાર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મીડિયા અહેવાલો અનુસાર, કટિહાર જિલ્લાના સુધાની પાસે પુલ નંબર 136 પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઘટના પર રેલ્વે વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
અકસ્માતની તપાસ કરવામાં આવશે
ઘટના અંગે કટિહાર રેલ્વેના વરિષ્ઠ ડીસીએમએ જણાવ્યું હતું કે રેલ્વે ટ્રેક પાટા પરથી ઉતયર્નિા બે થી ત્રણ કલાકમાં ખાલી કરાવવામાં આવ્યો હતો. અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે. દરેક પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવશે અને તપાસ ટીમ જાણ કરશે કે માલગાડી કેવી રીતે પાટા પરથી ઉતરી ગઈ. આ માલગાડી ગુવાહાટીથી કિશનગંજ જઈ રહી હતી. દરમિયાન સુધાની રેલ્વે ફાટક પાસે પુલ નંબર 136 પાસે બે કોચના ચાર પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે અવાજ સાંભળીને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં આ રૂટ પર અપ લાઇન પર ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને ડાઉન લાઇન પરની અવરજવર પણ મોડી રાત સુધી સામાન્ય થવાની ધારણા છે.
ઈસ્લામપુર હાટિયા એક્સપ્રેસને પલટી મારવાનું કાવતરું ઘડાયું હતું
પટણા-ગયા માર્ગ પર અજાણ્યા લોકો દ્વારા રેલવે ટ્રેક પર મૂકેલા સિમેન્ટ બ્લોક સ્લીપર્સ ઉપાડીને રેલવે લાઇન પર મૂકવામાં આવ્યા હતા. પરંતુ, ડ્રાઈવરે તે જોઈને ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી, પરંતુ ટ્રેન રોકતી વખતે એન્જિન સિમેન્ટના સ્લીપર સાથે અથડાઈ હતી. આ દરમિયાન રેલવે મુસાફરોમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech