પરપ્રાંતિય દંપતીએ CWC કમિટીનો આભાર વ્યક્ત કર્યો
ઓખાના રેલવે સ્ટેશન ખાતેથી તાજેતરમાં રેલવે પોલીસને બે નાના બાળકો મળી આવ્યા હતા. અંદાજિત 6 વર્ષ તથા 10 વર્ષની ઉંમરના એવા આ બંને બાળક એકલા હોય અને આ બંનેના કોઈ વાલી-વારસ સાથે ન જણાતા રેલવે પોલીસે આ બંને બાળકો અંગે ખંભાળિયા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને સંસ્થા દ્વારા આ બાળકોને ખંભાળિયાની સી.સી.આઈ. સંસ્થામાં રાખવા માટેનું જણાવ્યું હતું.
આ બંને બાળકોનું કાઉન્સિલિંગ કરાતા તેઓના માતા-પિતા ઝારખંડ ના મૂળ રહીશ હોવાનું અને હાલ જામનગરમાં રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હોય આ અંગે સી.ડબલ્યુ.સી.ના ચેરમેન ચંદ્રશેખર બુધ્ધભટ્ટીએ જામનગર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર બાબતે જાણ કરી હતી. આ પછી બાળકોના માતા-પિતા અંગેની શોધખોળમાં બંને બાળકોના માતા-પિતા જામનગરથી મળી આવ્યા હતા.
આ બંને બાળકો તથા માતા-પિતાના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી અને બંને બાળકોનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. આથી આ દંપતીએ ભાવવિભોર થઈ અને કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech