ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને જામનગરના રત્ન સમાન પરેશભાઇ ખેતશીભાઇ વસતં 'વસતં પરેશ બંધુ'નું દુ:ખદ નિધન થયું છે, આ અહેવાલ જામનગર પહોંચ્યા બાદ શોકની લાગણી ફેલાઇ છે, સાંજે ૪:૩૦ કલાકે સદગતની અંતિમ યાત્રા નિકળશે, ૧૫ દિવસથી તબીયત બગડી હતી, પાંચ દિવસથી જમવાનું છોડી દીધું હતું અને આખરે ગઇ રાત્રે ૯:૫૫ કલાકે દુનિયાને અલવીદા કરી હતી....સદા બધાને હસાવતા પરેશભાઇ ગુરૂવારે સવારે અનેકને રોવડાવી ગયા છે.
દુ:ખદ બનાવની વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસથી તેઓ વ્યારા પાસેના સોનગઢમાં પુત્ર ચિંતન સાથે રહેતા હતાં, ૧૫ દિવસ પહેલા તબીયત બગડી હતી ત્યારે સોનાગઢની હોસ્પિટલમાં સારવાર મેળવવામાં આવી હતી, જો કે છેલ્લા આઠ દિવસથી ખોરાક બધં થઇ ગયો હતો અને માત્ર લીકવીડ પર જ હતાં, સોનાગઢ નાનકડુ ગામ હોવાથી વધુ સારવાર માટે વ્યારાની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરેશભાઇને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું, ઓકસીજન લેવલ સતત ઘટતું હતું, ઉપરાંત બીપી અને ડાયાબીટીસ તબીયતને કન્ટ્રોલમાં લાવવા માટે અવરોધ બન્યા હતાં, તબીબોએ લોહી ચડાવવા સહિતની તમામ સારવાર પુરી પાડી હતી.
ગઇ રાત્રે ૯:૫૫ કલાકે વ્યારાની હોસ્પિટલમાં જ પરેશભાઇએ અંતિમ શ્ર્વાસ લીધા હતાં, આ સમયે એમની પાસે પત્ની અનીતાબેન, પુત્ર ચિંતન અને પરેશભાઇના મીત્ર નિતીનભાઇ ઓઝા ઉપસ્થિત હતાં, ગઇ રાત્રે ૧૨ વાગ્ે વ્ારાથી એમ્બ્યુલન્સ મારફત પરેશભાઇના પાર્થીવ દેહને જામનગર લાવવા માટે પરીવાર રવાના થયો હતો.
બપોરે ૨ વાગ્યે જામનગર આવી ગયા બાદ સાંજે ૪:૩૦ વાગ્ે સદગતની અંતિમ યાત્રા નિવાસ સ્થાન ૨૦૩, લમી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નં.૧ જામનગર ખાતેથી નિકળશે.
જામનગરની લગભગ જ કોઇ વ્કિત એવી હશે જે આ હાસ્ય કલાકારને જાણતી નહીં હોય આજે જયારે એમના દુ:ખદ નિધનના સમાચાર જયારે જામનગર પહોંચ્યા ત્યારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી અને જામનગરે સ્ટેજની દુનિયાનો એક રત્ન ગુમાવ્યાનો અહેસાસ બધાએ કર્યેા હતો. ૩૧ ઓગષ્ટ્ર ૧૯૫૪ના રોજ જોડીયામાં પરેશભાઇનો જન્મ થયો હતો અને આજે ૭૦ વર્ષની વયે એમણે દુનિયાને અલવીદા કરી દીધી છે. તેઓ પોતાની પાછળ પત્ની અનીતાબેન પી.વસંત, પુત્ર ચિંતન પી.વસતં અને સ્વજનોને વિલાપ કરતા છોડી ગયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદમાશને પકડવા ગાઝિયાબાદ ગયેલી નોઈડા પોલીસ પર હુમલો,કોન્સ્ટેબલનું મોત
May 26, 2025 10:21 AMચીનનો વીટો પાવર બન્યો આતંકી સંગઠનોની ઢાલ, યુએનમાં કાર્યવાહીમાં વિલંબ
May 26, 2025 10:19 AM800 વર્ષ જૂના મમીના ગાલ પર મળ્યું ટેટૂ, વિજ્ઞાનીઓ થયાચકિત
May 26, 2025 10:11 AMજામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર ગઈકાલે બપોરે એક કાર બેકાબુ થઈ ડિવાઇડર સાથે ટકરાઈ
May 26, 2025 10:11 AMદ્વારકા જગતમંદિરમાં કાળિયા ઠાકોરને સુકા મેવાનો મનોરથ
May 26, 2025 10:04 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech