સિહોની વસ્તી ગણતરી બાદ વન વિભાગમાં 50 જેટલા ટોચના અધિકારીઓની બદલી

  • May 28, 2025 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંહની વસ્તી ગણતરી પૂરી થઈ ગઈ છે અને હવે ચોમાસાની સિઝન માટે ઝળુંબી રહી છે ત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવકુમારે ક્લાસ વન અધિકારીઓથી માંડી સચિવ કક્ષાના ટોચના 50 જેટલા અધિકારીઓને બદલીના હુકમો કર્યા છે.

ગઈકાલે મોડી સાંજે કરવામાં આવેલા બદલીઓના આ હુકમમાં વન વિભાગના ચીફ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર, જોઈન્ટ એમડી અને ડેપ્યુટી કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ જેવા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બદલીઓના આ હુકમમાં સચિવ કક્ષાના 15 અને ડેપ્યુટી કન્જરવેટર ઓફ ફોરેસ્ટ કક્ષાના 35 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે, રાજકોટના તુષાર પટેલની બદલી સુરેન્દ્રનગર કરવામાં આવી છે. બદલીઓના આ લિસ્ટમાં ભુજના ત્રણ અને સુરેન્દ્રનગરના બે અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. જુનાગઢના ટાસ્ક ફોર્સના મહિલા અધિકારીને અમરેલી ખાતે સોશિયલ ફોરેસ્ટ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application