આજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ

  • June 09, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંજે નગર કીર્તન શોભાયાત્રા: રવિવારે યોજાયો આબા મનોરથ


પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે અખંડ હરીનામ સંકિર્તનને ૨૧ હજાર દિવસો પૂર્ણ થતાં હોય, આ નિમીત્તે તા.૫ જૂનથી ૯ જૂન દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


તા. ૫ જૂન ગુરૂવારથી ૯ જૂન સોમવાર સુધી એટલે કે ૫ દિવસ દરમ્યાન રોજ રાત્રીના ૧૦ થી ૧૨ દરમ્યાન વિશેષ રામધૂન યોજાઈ, તા. ૬ જૂન તથા ૭ જૂનના રોજ સાંજે ૬ વાગ્યે પાથાત્મક કાર્યક્રમ, તા. ૭ જૂન રવિવારે સાંજે ૬ વાગ્યે આંબા મનોરથ યોજાયો હતો.

આજે સોમવારે તા.૯ જૂનના રોજ ૨૧ હજાર દિવસ અખંડ રામધૂનને પૂર્ણ થશે, આ નિમીત્તે સવારે ૫ વાગ્યે પ્રભાતફેરી, અભિષેક પૂજન તથા આરતી સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન પુષ્પશૃંગાર દર્શન યોજાયા હતા, સાંજે ૬ વાગ્યે નગર કિર્તન (શોભાયાત્રા) સાંજે ૬.૩૦ કલાકે નિકળશે. આ પાંચ દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ  ભક્તજનોએ આસ્થાપૂર્વક લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News