બિહારના મુંગેરમાં ૫ ફેબ્રુઆરીએ જે રમતના મેદાનનું મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉધ્ઘાટન કયુ હતું ત્યાં પાંચ જ દિવસમાં ચોરી થઇ છે. ચોરો મેદાનમાં લગાવેલી ચાર સોલાર લાઇટ લઈ ગયા છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શ કરી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના નૌગઢી રમતના મેદાનમાં બની હતી. અહીં મનરેગા હેઠળ ૪૪ લાખ પિયા ખર્ચીને મેદાન બનાવવામાં આવ્યું હતું. આ સાથે ૩ લાખ પિયાના ખર્ચે ૮ સોલાર લાઇટો પણ લગાવવામાં આવી હતી, જેમાંથી અડધી હવે ગાયબ છે.
આ ઘટના ત્યારે આમે આવી યારે ખેલાડીઓ દોડવા માટે મેદાન પર પહોંચ્યા, ત્યારે તેમને મેદાનના પશ્ચિમ છેડે અંધાં દેખાયું. શઆતમાં, તેમને લાગ્યું કે કોઈ ટેકનિકલ ખામીને કારણે લાઈટો બધં થઈ ગઈ છે પરંતુ યારે તે નજીક આવ્યા ત્યારે તેમણે જોયું કે ચારેય થાંભલાઓ પરથી સોલાર લાઈટો ગાયબ હતી. ત્યારેબાદ તરત જ ખેલાડીઓએ રમતના મેદાનની દેખરેખ રાખતી સમિતિને જાણ કરી, ત્યારબાદ સમિતિના પ્રમુખ સર્વેશ કુમાર શર્મા અને અન્ય સભ્યોએ નયારામનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી ગઈ અને મામલાની તપાસ શ કરી દીધી. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને ટૂંક સમયમાં ચોરોને શોધી કાઢવાનો દાવો કર્યેા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને ખેલાડીઓ ગુસ્સે છે.
તેમણે વહીવટીતત્રં પાસે માંગણી કરી છે કે રમતના મેદાનની સુરક્ષા માટે રાત્રે ગાર્ડ તૈનાત કરવામાં આવે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech