રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પાસેના શિતલ પાર્ક ચોકનું ટ્રાફિક સર્કલ ટૂંકાવાયું

  • May 16, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તાજેતરમાં રાજકોટ મહાપાલિકા દ્વારા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપરથી રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ જવાના રસ્તે આવેલું શિતલ પાર્ક ચોકનું મહાકાય ટ્રાફિક સર્કલ ગત રાત્રિથી ટૂંકાવવાનું શરૂ કરાયું છે. અહીં વારંવાર થતા ટ્રાફિક જામથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં નેતાઓને કાર્યાલયે જવા-આવવામાં નડતી ટ્રાફિક સમસ્યા ઉકેલી નાખી છે.

રાજકોટ મહાપાલિકાએ ગત રાત્રિથી શિતલ પાર્ક ચોકનું ટ્રાફિક સર્કલ ટૂંકાવવાની કામગીરી શરૂ કરાવી છે. છેલ્લા ઘણાં સમયથી આ ચોકમાં વિશાળ કદના ટ્રાફિક સર્કલને કારણે અવાર નવાર ટ્રાફિક જામ થતો હતો. રાજકોટમાં કોટેચા ચોક, રૈયા એક્સચેન્જ ચોક સહિતના કુલ દસ સર્કલ ટૂંકાવવા નિર્ણય કરાયો હતો.

બીએપીએસ મંદિર પાસેનું સર્કલ ક્યારે ટૂંકાવાશે ?

રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોનના ગૌરવપથ કાલાવડ રોડના બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર પાસેનું મંદિર દ્વારા નિર્મિત સર્કલ પણ ટૂંકાવાશે, ટૂંકાવવું જરૂરી છે તેવી જાહેરાતો અને વાતોના વડા કર્યા બાદ હવે ચૂંટણી નજીક આવતાની સાથે જ મ્યુનિ.અધિકારીઓ, ઇજનેરો અને પદાધિકારીઓ સર્કલ ટૂંકાવવાની વાતો કરતા પણ બંધ થઇ ગયા છે ! કાલાવડ રોડ ઉપરથી પસાર થતા રોજના ત્રણ લાખ વાહનચાલકો આ સર્કલ ટૂંકાવાય તેની રાહ જોઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application