કોંગ્રેસના સાંસદ શશી થરુર અને રાહુલ ગાંધી વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ધીમે ધીમે સપાટી પર આવી રહ્યો છે અને અકળાયેલા સાંસદે ચોખ્ખું જ પૂછી લીધું કે કોંગ્રેસમાં મારું કામ શું છે?. નોંધનીય છે કે થરૂરની રાહુલ સાથેની વાટાઘાટો દરમિયાન રાહુલ દ્વારા કોઈ નક્કર ખાતરી આપવામાં ન આવી તે અંગે થરૂર નાખુશ છે. થરૂરે કોંગ્રેસની યુવા પાંખનો હવાલો સંભાળવાનો સંકેત આપ્યો હોવા છતાં, રાહુલ ગાંધી આ ઓફર સ્વીકારવા તૈયાર નહોતા.
કોંગ્રેસે પોતાની જ પાર્ટીના સાંસદ શશિ થરૂર પ્રત્યે પોતાના વલણમાં કોઈ લવચીકતા દાખવી નથી. થરૂર સાથેની વાતચીત છતાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની કોઈપણ ફરિયાદ કે સૂચનોનો જવાબ આપ્યો નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હવે થરૂર પ્રત્યે નરમ વલણ અપનાવવા તૈયાર નથી.
થોડા દિવસો પહેલા દિલ્હીમાં યોજાયેલી એક બેઠક દરમિયાન, થરૂરે પાર્ટીમાં અવગણના કરવામાં આવતા ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ આ અંગે કોઈ નક્કર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ન હતી, જેના કારણે થરૂર વધુ અસંતુષ્ટ થયા હતા.કોંગ્રેસ થરૂરથી નારાજ છે કારણ કે તેમણે પાર્ટીની નીતિ વિરુદ્ધ ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતની પ્રશંસા કરી. વધુમાં, કેરળમાં એલડીએફ સરકાર દ્વારા કરવામાં આવેલા ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરતા તેમના લેખે પક્ષમાં અસંતોષ ફેલાવ્યો હતો.
થરુર માટે હવે દ્રાક્ષ ખાટી?
એવી માહિતી પણ પ્રકાશમાં આવી છે કે થરૂરે પાર્ટી લાઇનથી ભટકવાનું મન બનાવી લીધું છે કારણ કે તેમનું માનવું છે કે તેમને યોગ્ય સન્માન મળી રહ્યું નથી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન, થરૂરે એ હકીકત પર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે તેમને "ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ" ના પ્રભારી પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, જે તેમણે પોતે જ બનાવ્યું હતું.શશિ થરૂરે એ વાતનો પણ વિરોધ કર્યો હતો કે સંસદમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ દરમિયાન તેમની અવગણના કરવામાં આવી રહી છે અને તેમને તકો આપવામાં આવી રહી નથી. થરૂરે રાહુલ ગાંધીને કહ્યું કે તેઓ સંસદમાં પાર્ટીનું નેતૃત્વ સંભાળવા સક્ષમ છે, પરંતુ રાહુલ ગાંધીને સંસદીય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેઓ ચૂપ રહ્યા.
રાહુલે થરૂરને કોંગ્રેસની પરંપરા યાદ કરાવી
શશિ થરૂરે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે શું પાર્ટી ઇચ્છે છે કે તેઓ રાજ્યના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરે, પરંતુ રાહુલે આનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. થરૂર જાણવા માંગતા હતા કે જો કોંગ્રેસનો આવો કોઈ ઈરાદો હોય તો તેમની ભૂમિકા શું હશે. આ અંગે રાહુલે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરવી કોંગ્રેસની પરંપરા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech