ગુજરાતમાં વધુ એક પરિવાર વ્યાજખોરના ત્રાસથી મોતના મુખમાં ધકેલાઈ ગયો છે. પાટણના શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું છે. જેમાં પતિ-પત્ની અને તેના 10 વર્ષના પુત્રનો સમાવેશ થાય છે. પોલીસને મળેલી સુસાઈડમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ શંખેશ્વરના ફેબ્રિકેશનનો ધંધો કરતા ધર્મેશભાઈ પંચાલે તેમની પત્ની ઉર્મિલા અને 10 વર્ષના પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ગત મોડીરાત્રે આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી ઉર્મિલાબેન (ઉં.વ.36) અને પુત્ર પ્રકાશ (ઉં.વ.10)ની લાશ મળી આવી હતી. જ્યારે આજે રવિવારે સવારે બલાસર નર્મદા કેનાલમાંથી ધર્મેશભાઈ (ઉં.વ.38)ની લાશ મળી હતી. પોલીસે ત્રણેય લાશને કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે ખસેડી છે.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે
સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નમસ્કાર બધાને "મારા છેલ્લા રામ રામ, મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે, એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.
સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય
સુસાઈડ નોટમાં આગળ લખ્યું છે કે, હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઇશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું અને કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.
ઉર્મિલા અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો
વધુમાં લખ્યું છે કે, ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરાને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં. મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઇ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.
તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો
તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે શું કામ હું તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..
ધર્મેશભાઈ છેલ્લા દસ વર્ષથી શંખેશ્વરમાં રહેતા
મળતી માહિતી મુજબ, ધર્મેશભાઈ છેલ્લા દસ વર્ષથી શંખેશ્વરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા હતા. ધર્મેશભાઈ કોઈને કહ્યા વગર પરિવાર સાથે કડી આવ્યા હતા. કેનાલ પાસેથી તેમની ગાડી મળી આવી હતી. ગાડીમાંથી એક સુસાઈડ નોટ અને મોબાઈલ મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech