હર હર મહાદેવ... હાથી ઘોડા પાલકી..ના જયનાદ સાથે શિવભકિત અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સાથે ભાવિકોએ શ્રાવણ મહિનાની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરી છે. હવે શ્રાવણ મહિનો પૂર્ણતાને આવે છે આગામી મંગળવારે શ્રાવણ મહિનો પૂરો થઈ જશે.
સોમવારે સોમવતી અમાસ સાથે શ્રાવણ મહિનાનો છેલ્લો અને પાંચમો સોમવાર છે. અંતિમ સોમવાર માટે ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે.શ્રાવણ વદ અમાસ ને મંગળવાર તારીખ ૩ સપ્ટેમ્બર ના દિવસે શ્રાવણ મહિનાની પૂર્ણાહત્પતિ થશે આ વર્ષે અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી સોમવારે પણ અમાસ છે અને મંગળવારે પણ અમાસ છે આમ શ્રાવણ મહિનાનો આ પાંચમો સોમવાર છે પંચાંગ પ્રમાણે યોતિષના નિયમ પ્રમાણે આરાવારા તેરસથી શ થતા હોય છે પરંતુ આ વર્ષે રવિવારે ચૌદસ થી આરાવારા ગણાશે એટલે કે રવિ.. સોમ મંગળ આરાવારા ગણાશે આરાવારા માં લોકો પોતાના પિતૃઓને તૃ કરવા માટે મોક્ષ પ્રગતિ આપવા માટે પીપળે ગાગરમાં અથવા તો ત્રાંબાના લોટામાં પાણી ભરી અને પીપળે પિતૃઓને જળ અર્પણ કરે છે એ ઉપરાંત પીપળાની ૪. ૧૧ અથવા ૧૦૮ પ્રદક્ષિણા ફરે છે
શાક્રી રાજદીપ જોશીએ જણાવ્યું હતું કે,સોમવતી અમાસ આખો દિવસ હોવાથી આ દિવસે શિવજીને દૂધમાં કાળા તલ સાકર નો ભૂકો મિકસ કરી શિવલિંગ ઉપર ચડાવું , ત્યારબાદ જળ ચડાવું આમ કરવાથી ગ્રહ પીળા દૂર થશે આ દિવસે પુરાણોકત દ્ર અભિષેક બોલતા બોલતા પણ જળ ચડાવી શકાય છે આ ઉપરાંત સોમવતી અમાસના દિવસે ઉપવાસ અથવા એકટાણું ખાસ રહેવું ઓમ નમ: શિવાય ના જપ કરવા.. જો કોઈ બીમારી હોય તો આ દિવસે શિવલિંગ ઉપર ફકત માત્ર જળ ચડાવાથી જ બીમારી દૂર થઈ શકે છે
જે લોકો આખો શ્રાવણ મહિનો રહેતા હોય તેઓએ મંગળવારના દિવસે પણ શ્રાવણ મહિનાનો દિવસ છે આથી આ દિવસ પણ રહેવાનો છે બુધવારથી ભાદરવા માસ ની શઆત થશે.શનિવારે ૭ સપ્ટેમ્બર ગણેશ ચોથ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech