સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

  • May 17, 2025 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ખેડૂતો મગના વેચાણ માટે તા.૨૫ મે સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે


ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં મગ માટે રૂપિયા ૮૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે, વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. જે અન્વયે તા.૨૫/૦૫/૨૦૨૫ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેંદ્રો ખાતેથી VCE મારફતે ખેડુતોની નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. માટે જામનગર જિલ્લાના જે ખેડૂતો ટેકાના ભાવે મગનું વેચાણ કરવા માંગતા હોય તેઓએ નોંધણી કરાવવાની રહેશે. તેમ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application