વરસાદી માહોલને કારણે પોરબંદર જિલ્લામાં મોબાઈલ પર નેટવર્ક નથી મળતું ત્યારે ગમે તે નેટવર્ક યુઝ કરી વાત કરી શકાશે તે પ્રકારની સુવિધા સરકારે કરી આપી છે.હવામાનની અસર તેમજ સતત વરસાદી માહોલને લીધે પોરબંદર જિલ્લા સહિત આસપાસના જિલ્લામાં મોબાઈલ નેટવર્ક ન મળતું હોવાની બાબતો સામે આવતા સરકાર દ્વારા નાગરિકો કોમ્યુનિકેશન કરી શકે તે માટે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ગમે તે નેટવર્ક ઉપયોગ કરી શકાય તે માટેનો પ્રબંધ કરવામાં આવેલ છે.
ઇન્ટ્રાસર્કલ રોમીંગ વ્યવસ્થા અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા જણાવાયું છે કે, હાલની પરિસ્થિતિમાં આ ફેસેલીટી વડોદરા, રાજકોટ, ખેડા, આણંદ, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટમાં ૩૦ ઓગષ્ટ સુધી ચાલુ રહેશે. પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે, મોબાઈલમાં કોઈપણ સીમ હોય અને વરસાદી પરિસ્થિતિમાં નેટવર્ક ન મળે તો નેટવર્ક સર્ચ કરીને સિલેક્ટ કરીને આ વ્યવસ્થાનો લાભ લઈ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech