હોળીના તહેવારને કારણે ચાર દિવસની રજા બાદ આજે સંસદનું બજેટ સત્ર ફરી શરૂ થયું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સાંસદોને હોળીની શુભેચ્છા પાઠવી અને પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયને ડુપ્લિકેટ મતદાર ઓળખ કાર્ડના મુદ્દા પર ચર્ચાની માંગ ઉઠાવી હતી. તેમણે પ્રશ્ન કર્યો કે શું સરકાર આ અંગે ચર્ચા કરવા તૈયાર છે? વિપક્ષનું કહેવું છે કે આ મુદ્દો લોકશાહીની પારદર્શિતા અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત છે, આથી તેના પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ.
ઇપીઆઇસીના મુદ્દા પર ટીએમસી અને અન્ય વિપક્ષી પક્ષોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. જ્યારે ગૃહમાં આ મુદ્દો ઉઠાવવાની પરવાનગી આપવામાં ન આવી, ત્યારે તેઓ વોકઆઉટ કરી ગયા હતા.
સંસદના આ સત્રમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ પણ બનાવી શકે છે. તૃણમૂલ કોંગ્રેસ આજે રાજ્યસભા અને લોકસભામાં પશ્ચિમ બંગાળની કથિત નકલી મતદાર યાદીનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લોકસભામાં નીટ પેપર લીક સહિત પરીક્ષાના પેપર લીક પર ચર્ચાની માંગણી સાથે સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ આસામમાં ૮૬ ચોરસ કિલોમીટરના જંગલ વિસ્તારમાં થયેલા ઘટાડા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દિમા હાસાઓ જિલ્લામાં ગેરકાયદેસર કોલસા ખાણકામને કારણે મોટાપાયે વન નાબૂદી થઈ રહી છે, જે રાજ્યના પર્યાવરણને અસર કરી રહી છે.
ગોગોઈએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે, શું આ વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ટીમો મોકલવામાં આવશે? ઉપરાંત, જિલ્લા વન અધિકારીઓની ભૂમિકાની તપાસની માંગ કરતા, તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. ગેરકાયદેસર ખાણકામ અને વન વિભાગની બેદરકારી સામે કાર્યવાહીની માંગ કરતા તેમણે કહ્યું કે સરકારે પારદર્શક તપાસ કરીને ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ.
વક્ફ સુધારા બિલ 2024 સામે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરવામાં આવેલા વિરોધ પર ભાજપના સાંસદ દિનેશ શર્માએ કહ્યું, 'આ પાયાવિહોણા લોકો છે.' તેમને ન તો જનતાનો ટેકો છે કે ન તો મુસ્લિમ સમુદાયનો. મુસ્લિમ સમુદાય જાણે છે કે વડાપ્રધાન મોદી ગરીબો માટે કામ કરી રહ્યા છે. જો વકફ બોર્ડમાં સુધારો કરવામાં આવે તો સૌથી વધુ લાભાર્થી પાસમંદા મુસ્લિમો, ગરીબ અને પછાત વર્ગના મુસ્લિમોને મળશે.
વકફ સુધારા બિલ 2024 સામે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરવામાં આવેલા વિરોધ પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, 'વકફ બિલ અંગે ઘણી ફરિયાદો અને આશંકા છે.' જેપીસીએ સમગ્ર ચર્ચાને ખૂબ જ મર્યાદિત અવકાશમાં રાખી છે.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા છે કે ક્રાંતિકારીઓ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા ફેંકવામાં આવેલા લાલ કાપલીઓ ક્યાં છે. તેમણે સંસ્કૃતિમંત્રીને પૂછ્યું કે શું સરકારને આ ઐતિહાસિક દસ્તાવેજો વિશે કોઈ સંકેત મળ્યો છે? આ ઉપરાંત, તિવારીએ ૧૯૦૧-૧૯૪૭ દરમિયાન બ્રિટિશ વસાહતી સરકાર દ્વારા બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા કોંગ્રેસના પેમ્ફલેટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક દસ્તાવેજો 2017માં જાહેર કરવામાં આવ્યા હતા અને સરકારને પૂછ્યું હતું કે શું તેમને ભારત પાછા લાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે?
સોમવારે સવારે એક્સ પર પોસ્ટ કરતા,ટીએમસીના રાજ્યસભા સંસદીય પક્ષના નેતા ઓ'બ્રાયને કહ્યું કે આ મુદ્દો લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. તેમણે 12 માર્ચની તેમની પોસ્ટને પણ ટેગ કરી, જેમાં તેમણે આવતા અઠવાડિયે (નિયમ 176 હેઠળ) આ મુદ્દા પર ખુલ્લી ચર્ચા માટે હાકલ કરી હતી. ઓ'બ્રાયને પોતાની પોસ્ટમાં લખ્યું, 'ચાર દિવસના વિરામ પછી સંસદ કામ પર પરત ફરી રહી છે. એક રચનાત્મક વિપક્ષ લોકશાહીના મૂળમાં રહેલા મુદ્દા પર ચર્ચા ઇચ્છે છે. શું સરકાર તૈયાર છે?
ડીએમકે સાંસદ કનિમોઝીએ લોકસભામાં યુપીએસસી સીએસઇ પ્રશ્નપત્ર તમિલમાં આપવા બદલ નોટિસ આપી છે. તેમણે કહ્યું, 'યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા (સીએસઇ) પ્રિલિમ અને મેઇન્સ પરીક્ષાના પ્રશ્નપત્રો ફક્ત અંગ્રેજી અને હિન્દીમાં છે. યુપીએસસી સીએસઇ પ્રિલિમ્સના ક્વોલિફાઇંગ પેપર, સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ (સીએસએટી)માં પણ પ્રશ્નો ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં જ સેટ કરવામાં આવે છે, જે હિન્દી ભાષી રાજ્યોના ઉમેદવારોને અન્યાયી ફાયદો પહોંચાડે છે. આથી, હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાના પ્રશ્નપત્રો તમિલ અને બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ બધી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવે, જેથી હિન્દી અને બિન-હિન્દીભાષી રાજ્યોના ઉમેદવારો વચ્ચે સમાન તક સુનિશ્ચિત થઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ગાંધારી' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, આંખો પર પટ્ટી બાંધીને બાળકો સાથે રમતી જોવા મળી તાપસી પન્નુ
March 17, 2025 04:53 PMછત્રપતિ શિવાજી મહારાજના મંદિરના ઉદ્ઘાટન પર સીએમ દેવેન્દ્રએ કહ્યું...ઔરંગઝેબનો મહિમા સહન નહીં થાય
March 17, 2025 04:40 PMબાલાચડી બીચ ખાતે દરિયા કિનારાની સાફ સફાઈ કરી નેશનલ મેરીટાઇમ ડે ની ઉજવણી કરવામાં આવી
March 17, 2025 04:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech