ભાવનગર શહેરના પ્રજાજનોને જન્મ -મરણના પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ તેમ જ પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે તેમજ જુદા જુદા વોર્ડ મા આવેલ આરોગ્ય સેન્ટર ઉપર થી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા લોકોને સરળતાથી જન્મ-મરણના પ્રમાણપત્ર મળી રહે તે માટે શહેરના ન્યુ કુંભારવાડા નારી રોડ, કુંભારવાડા સર્કલ પાસે, આનંદ નગર વિમાના દવાખાના પાસે, વડવા વોશિંગ ઘાટ, વડવા -અ, જ્વેલ સર્કલ, બોર તળાવ,હરિરામ બાગ સોસાયટી, કાળીયાબીડ,ભગવતી સર્કલ ૮-ભરતનગર, ૧૨ નંબરના બસ સ્ટેન્ડ પાછળ ખાતેથી જન્મ મરણના પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કામગીરીનો અર્બન હેલ્થ સેન્ટર બોર તળાવ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
મેયરના અધ્યક્ષ સ્થાને જન્મ મરણના પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જાહેર આરોગ્ય કમિટી ચેરમેન શાસક પક્ષ નેતા, કમિશનર તેમજ વિસ્તારના પદાધિકારી પૂર્વ મેયર સભ્યો અને આરોગ્ય વિભાગના અધિકારી સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લોકોની સુખાકારીમાં વધારો કરવા મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી જન્મ મરણના પ્રમાણપત્ર ઈશ્યૂ કરવાની સુંદર કામગીરી હાથ ધરેલ છે. લોકોને આનાથી દાખલા મેળવવામાં સરળતા થશે.અનેક લોકો લાભ મળશે તેમ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech