ગુજરાત હાઇકોર્ટના આદેશ અને રાય સરકારની નવી ગાઇડલાઇનની અમલવારી રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૧લી જાન્યુઆરીથી શ કરવામાં આવી છે જે અંતર્ગત આજ દિવસ સુધીમાં ૯૦૦૦ પશુઓનું રજિસ્ટ્રેશન કરી પશુઓના કાન ઉપર ટેગિંગ કરવામાં આવ્યું છે. તા.૩૧ જાન્યુઆરી સુધીમાં શહેરમાં તમામ પશુઓને ૧૦૦ ટકા ટેગિંગ થઇ જશે તેવો મહાપાલિકા તંત્રનો દાવો છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના વડા વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં પશુઓની કુલ સંખ્યા ૧૨૦૦૦ હોવાનો પ્રાથમિક અંદાજ છે, અને આ સંખ્યામાં ખરીદ, વેંચાણ, જન્મ, મૃત્યુ મુજબ વધ ઘટ થતી રહે છે. આ ૧૨૦૦૦ પૈકી ૯૦૦૦ ઢોરને હાલ સુધીમાં ટેગિંગ કરાયું છે અને આગામી ૧૮ દિવસમાં બાકી રહેતા ૩૦૦૦ને પણ ટેગિંગ થઇ જાય તેવું પ્લાનિંગ છે. નવા નિયમોની કડક અમલવારી શ કરતાં હવે રખડું ઢોરની સંખ્યા અને ફરિયાદોનું પ્રમાણ બન્ને ઘટું છે. તેમણે ઉમેયુ હતું કે મહાપાલિકામાં ઢોરના રજિસ્ટ્રેશન બાદ પશુના કાનમાં ટેગિંગ કરવામાં આવે છે જેમાં એક ચિપ બેસાડવામાં આવી હોય છે તે ચિપ સ્કેન કરતાની સાથે પશુ અને તેના માલિકની તમામ વિગતો તેમજ અગાઉ કેટલી વખત રખડતું જ થયું છે તે સહિતનો તમામ ડેટા જોઇ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech