મહાપાલિકાના કોમ્પ્લેક્ષમાં દાદર બનાવી દેવાયા

  • March 28, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરમાં વર્ષોથી ખડકાયેલા દબાણો હટાવવા મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મહાઅભિયાનમાં ગઈકાલે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના વિઠ્ઠલવાડી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ધાર્મિક સ્થાનકો સહિતના દબાણો હટાવાયા બાદ અજર શુક્રવારે સવારથી જ એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ શહેરના શિવાજી સર્કલમાં આવેલ મહાપાલિકાના કોમ્પ્લેક્ષમાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર દાદરો સહિતનું દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોમ્પ્લેક્ષમાં દુકાનો તેમજ ઓફિસો ધરાવનારાઓ દ્વારા સુગમતા માટે કોમ્પ્લેક્ષ માં આરસીસી દાદરો હોવા છતાં બહારના ભાગે અડચણ રૂપ ગેરકાયદેસર દાદરો મૂકી દેવામાં આવ્યા હોવાની એસ્ટેટ વિભાગન થયેલી ફરિયાદ બાદ આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રની ટીમ દ્વારા શિવાજીસર્કલ ઉપરાંત ઘોઘા રોડ મહાનગર પાલિકા ના બિલ્ડિંગ માં લોક 
૧૪ નાળા પાસે કાયમી ધોરણે રોડ પર અડચણરૂપ પાર્ક કરી રખાતી ૫થી વધુ  બગીઓને લોક ઠપકારી બગીધારકો પાસેથી સ્થળ પરજ રૂપિયા ચાર હજાર નો દંડ વસુલ કરાયો હોવાનું એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application