ભારતના વડાપ્રધાનની જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખની આરોગ્ય સારવાર માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં છે. જેનો પ્રચાર–પ્રસાર અને સભાઓમાં ઉલ્લ ેખ તાળીઓના ગડગડાટથી ગજવાય છે.જનતાને આયુષ્ય કાર્ડ કાઢવા માટે પ્રભાસપાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ઉપલા માળે રૂમ નંબર ૧૦૭માં ખોલાયેલ એ કેન્દ્ર સાવ શોભાના ગાંઠીયા જેવું જ છે. પ્રથમ તો ખાટલે મોટી ખોટ એ છે કે કોમ્પ્યુટર કામ કરવા માટે આ કેન્દ્રનું આઇડી જ બ્લોક છે.જેથી કોઇ જ કામગીરી થતી જ નથી માત્ર બોર્ડ જોઇને જ સંતોષ–હતાશા માનવી પડે છે.
તે માટે નિમણૂક કરાયેલ કર્મચારી તો આવે જ છે પણ ટેકિનકલ ખામી દૂર કરવામાં અક્ષમ્ય બેદરકારી પ્રજા પ્રત્યે નિષ્કાળજી દાખવવાને કારણે આઇડી બધં છે ને દિવાળી પહેલાથી જ કાર્ડ કઢાવવાનું સાવ બધં જ છે.
સરકારે પ્રચાર–પ્રસારમાં જણાવ્યું છે કે ૭૦ વર્ષર્થી વધુની વયના વડીલો માત્ર આધાર કાર્ડ રજૂ કરે એટલે તુરત આયુષ્યમાન કાર્ડ નીકળી જાય પણ આ કેન્દ્ર તો એવું છે કે, જે કામ જ નથી કરતું એથી આયુષ્ય પુરું થઇ જાય તો પણ કદાચ અંહીથી કાર્ડ નીકળે તેમ લાગતું નથી. પોપટ વાકય એક જ આઇડી બ્લોક છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં 51 કિલો ગાંજાની સપ્લાયના બોટાદના આરોપીની જામીન અરજી મંજુર
April 02, 2025 02:54 PMરાજકોટ રેલવેમાં ગૂડ્ઝ ટ્રેનના સિંહફાળા સાથે રૂ. ૨૪૫૩.૬૮ કરોડની વિક્રમી આવક
April 02, 2025 02:45 PMમોટો ખુલાસોઃ આગનો ભોગ બનનાર જે. કે. કોટેજ ફેક્ટરી મંજૂરી વગર જ ચાલતી હતી
April 02, 2025 02:39 PMજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech