ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 130 કેસ નોંધાયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આજે વધુ 4 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. અહીં ચોંકાવારી બાબત તો એ છે કે આ 4 શંકાસ્પદ દર્દીઓમાંથી એકની ઉંમર 18 વર્ષ છે.
વિગતવાર વાત કરીએ તો 18 વર્ષના યુવકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે અને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. જોકે યુવકના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત જાણવા મળશે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 130 કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરાની ઝપેટમાં આવતા કુલ 52 બાળકોના મોત થયા છે. આ વાયરસને કારણે સૌથી વધુ પંચમહાલમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે 40 બાળ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 38 બાળકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
યુવકમાં જોવા મળ્યા લક્ષણો
મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના વાંકાનેરના 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા હતા. જે બાદ યુવક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જે બાદ યુવકની સારવાર શરૂ કરીને તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ યુવકને હાલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. તેને આ લક્ષણો કેવી રીતે આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech