મકાનની બારીની સાઈડની દિવાલ તોડી અંદર પ્રવેશી ૭૬ હજારના સોના ચાંદીના દાગીનાની ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ
જામનગરના સેનાનગર વિસ્તારમાં રહેતા એરફોર્સના નિવૃત્ત કર્મચારીના રહેલા મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. બારીની દિવાલ તોડી અંદર પ્રવેશી મકાનમાંથી રૂપિયા ૭૬,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ઢીંચડા રોડ પર સેના નગરમાં રહેતા અને એરફોર્સના નિવૃત કર્મચારી હરેન્દ્ર અયોધ્યારાય નામના ૬૧ વર્ષ ના વિપ્ર બુઝુર્ગ, જેઓએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂપિયા ૭૬,૦૦૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરો એ મકાનની સાઈડની દિવાલ તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સોના ચાંદીના ઘરેણાંની ઉઠાંતરી કરી ગયા હોવાથી મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ મહિલાએ 100 દિવસ સુધી પહેર્યા એકના એક કપડા!
April 07, 2025 03:57 PMચણા આવ્યા ઘણા; રાજકોટ યાર્ડમાં ૬૬ લાખ કિલોની રેકોર્ડ બ્રેક આવક, મિલોની ખરીદી શરૂ
April 07, 2025 03:40 PMપાલિતાણામાં અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા
April 07, 2025 03:38 PM‘કેમ વારંવાર હોેર્ન મારે છે?’ તેમ કહી બે શખ્સોએ યુવાન પર કર્યો હુમલો
April 07, 2025 03:37 PMએેઅસઆઇમાંથી પીએસઆઇના પ્રમોશન મેળવાનારની પીનીંગ સેરેમની યોજાઇ
April 07, 2025 03:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech