શ્રી વીરદાદા જશરાજ યુવા ફાઉન્ડેશન- જામનગર દ્રારા લોહાણા સમાજ માટે યજ્ઞોપવિત સંસ્કારનુ આયોજન.
પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં લોહાણા સમાજ માટે સ્તુત્ય પગલું.
જામનગર શહેરમાં છેલ્લા ૧૨ વરસથી ક્રાંતિકારી વિચારો સાથે સમાજ ઉત્કર્ષના,સાંસ્કૃતીક પ્રોજેક્ટ સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા એક સ્તુત્ય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે.
પ્રવર્તમાન મોંઘવારીના સમયમાં સામાજીક પ્રસંગોના બિનજરૂરી ખર્ચા ટાળી કરકસરથી પારિવારિક પ્રસંગ થઈ શકે તે માટે સમાજનાં જરૂરિયાત મંદ પરિવારો માટે પંચમ યજ્ઞોપવિત સંસ્કારનો પ્રોજેક્ટ કરવામાં આવનાર છે. જેમાં એક સાથે પાંચ બટુકોનાં નામની નોંધણી થયેથી યજ્ઞોપવિત સંસ્કાર કરાવી આપવામાં આવશે.જેની રજિસ્ટ્રેશન ફી માત્ર ૧૦૧/ રાખવામાં આવેલ છે.
આ ઉપનયન સંસ્કારમાં જોડાનાર બટુકોનાં પ્રત્યેક પરિવારનાં ૧૧ વ્યક્તિના ભોજનની વ્યવસ્થા તેમજ બટુક માટે (ધોતી) પીતાંબરની વ્યવસ્થા સંસ્થા તરફથી કરી આપવામાં આવશે
સાત બટુકનું રજીસ્ટ્રેશન થયેથી*આ ઉપનયન સંસ્કાર વેદોક્ત વિધિ મુજબ ગ્રહણ કરાવવામાં આવશે
આ યજ્ઞોપવીત સંસ્કારનો સમય સવારે ૮.૦૦ થી ૧.૦૦ વાગ્યાનો રહેશે
જે કોઈ રઘુવંશી વહેલા તે પહેલા આ પ્રોજેકટમાં*જોડાઈ પોતાના સંતાનને ઉપનયન*સંસ્કાર આપવા ઈરછતા હોય*તેમણે સંસ્થાના *કાર્યાલય*૨૨૫,માધવ દર્શન કોમ્પલેક્ષ,ક્રિકેટ બંગલા સામે , જામનગર મુકામે બપોરના ૨ થી ૪ વાગ્યા દરમ્યાન સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખ ભરતભાઇ કાનાબારે અનુરોધ કરેલ છે
વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૫૧૧૫૨ પર સંપર્ક કર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech