અમરેલી, માણસા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના શહેરો આવરી લેવાયા: ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી બસ સેવા શરુ થઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત રવિવારે સુદર્શન સેતુનું લોકાર્પણ થતાં ઓખા-બેટ રોડથી જોડાયું છે, ત્યારે એસ.ટી. ડીવીઝન દ્વારા પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો ઓખા-બેટ ખાતે આવેલ ધાર્મિક સ્થળો તેમજ ફરવાલાયક સ્થળોએ ઓછા પૈસામાં હરી ફરી શકે તેવા શુભ હેતુસર એસ.ટી. બસ સેવાનો પ્રારંભ જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી શરુ થઇ છે.
કેન્દ્ર સરકાર અને ડબલ એન્જીન ગુજરાત સરકારના પ્રયાસોથી સમગ્ર હાલાર પંથક વિકાસની ગતિએ દોડી રહ્યો છે ત્યારે વડાપ્રધાન દ્વારા સુદર્શન સેતુનું લોકાર્પણ થતાં ઓખા-બેટ વિસ્તાર સમગ્ર વિશ્ર્વથી જગ નોખો ઓળખાતો હતો, હવેથી વિશ્ર્વ સાથે આ સુદર્શન પુલ થવાથી જોડાઇ ગયો છે અને ઓખા-બેટ દ્વારકા પ્રવાસ પ્રર્યટનને વેગ મળશે.
જેમાં અમરેલી બેટ-દ્વારકા સવારે પ વાગ્યે, બેટ-દ્વારકાથી અમરેલી ૩.૩૦, બેટ-દ્વારકાથી માણસા બપોરે ર.પ૦ આ બસો આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળીયા, ભાટીયા તથા અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરો થઇને બેટ દ્વારકા ખાતે પહોંચશે.
ગુજરાત એસ.ટી. ડીવીઝન દ્વારા ઓખા, બેટ ખાતે બસ સેવા શરુ કરવામાં આવી છે, જેમાં અમરેલી, માણસા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના શહેરોને આવરી લેવામાં આવ્યા છે, આ બસ સેવાનો પ્રારંભ કરવા જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ કરેલા પ્રયત્નો ફળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવી શિક્ષણનીતિ મુજબ આજે પ્રથમ વખત મળેલી સૌ. યુનિ.ની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક
April 21, 2025 10:23 AMગુજરાતમાં આજથી એક સપ્તાહ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ
April 21, 2025 10:21 AMપોરબંદરમાં 550 કરોડના ખર્ચે બનતી સરકારી મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત
April 21, 2025 10:01 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech