ઋષિ કપૂરના નિધનના 3 વર્ષ પછી નીતૂ કપૂરે કર્યો મોટો ધડાકો
‘કોફી વિથ કરણ’ના લેટેસ્ટ એપિસોડમાં કરણ જોહરના સવાલોનો જવાબ આપતા નીતૂ કપૂરે શોકિંગ ખુલાસો કર્યો છે. આ ખુલાસો એક્ટ્રેસના પતિ અને દિવગંત અભિનેતા ઋષિ કપૂર સાથે જોડાયેલો હતો.જેમાં તેમને જણાવ્યું હતું કે ઋષિ એક ‘નિષ્ઠુર બોયફ્રેન્ડ’ હતાં,એ હંમેશા રોકટોક કરતાં. મને ક્યારેય મન ભરીને પાર્ટી એન્જોય કરવા દીધી જ નહી.
‘કોફી વિથ કરણ’ની સીઝન 8માં નીતૂ કપૂર અને ઝીનત અમાનની જોડી જોવા મળી. આ દરમિયાન નીતૂ કપૂરે ઘણા ખુલાસા કર્યા છે. તેણે પોતાના દિવંગત પતિ, અભિનેતા ઋષિ કપૂર વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો. એક્ટ્રેસે પોતાના ડેટિંગના દિવસોને યાદ કર્યા. તેણે તે પણ જણાવ્યું કે, ઋષિ કપૂર કેવા પ્રકારના બોયફ્રેન્ડ હતાં. નીતૂએ કરણ સાથે વાત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઋષિ એક ‘નિષ્ઠુર બોયફ્રેન્ડ’ હતાં અને તેને મનભરીને પાર્ટી કરવાની પરવાનગી આપતા ન હતાં. તેણે જણાવ્યું કે, જ્યારે તે યશ ચોપરા સાથે શૂટિંગ કરતી હતી તો મોડી રાતે પાર્ટીઓ થતી હતી. જો કે, તેણે ક્યારેય મનભરીને પાર્ટી નથી કરી કારણ કે ઋષિ કપૂર તેને પાર્ટીમાં જતાં રોકતા હતાં. તેમની રોકટોકના કાણે નીતૂની લાઇફમાંથી આ ફન એલિમેન્ટ મિસિંગ રહ્યાં.
નીતૂ કપૂરે ઋષિને કહ્યાં નિષ્ઠુર
નીતૂ કપૂરે કહ્યું, અમે ઘણો સારો સમય પસાર કર્યો, ખાસ કરીને યશ ચોપરા સાથે. અમે રાતે પાર્ટી કરતાં હતાં, અંતાક્ષરી રમતા હતાં, નાટક કરતાં હતાં. તે એક પિકનિક જેવું હતું. તે ખરેખર ખૂબ જ મજેદાર હતું, પરંતુ મારા બોયફ્રેન્ડ રૂપે ઋષિ કપૂર હતાં. તેથી મે ક્યારેય પાર્ટી નથી કરી. કારણ કે તે હંમેશા કહેતાં હતાં, આ ન કર, તે ન કર, ઘરે આવી જા. તેથી મે તે દિવસોમાં પાર્ટી કરવાનો તે ક્રેઝી પક્ષ ક્યારેય જોયો જ નથી. નીતૂ કપૂરે કહ્યું, હું પ્રતિબદ્ધ હતી અને મારી એક ખૂબ જ નિષ્ઠુર અને એક ખૂબ જ નિષ્ઠુર બોયફ્રેન્ડ હતો. તેથી મે તે બંનેની વચ્ચે ફસાઇ ગઇ હતી.
લગ્ન બાદ છોડી એક્ટિંગ
13 એપ્રિલ, 1979ના રોજ સગાઇ કરતા પહેલા નીતૂ કપૂરે થોડા સમય સુધી ઋષિ કપૂરને ડેટ કર્યા હતાં. તે 22 જાન્યુઆરી, 1980ના રોજ લગ્નના બંધનમાં બંધાઇ ગયા. પોતાના લગ્ન બાદ નીતૂએ એક્ટિંગ છોડી દીધી. આ કપલે બે બાળકો, દીકરી રિદ્ધિમા અને દીકરા રણબીર કપૂરને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા. આગળ ચાલીને બાળકો પણ નીતૂના એક્ટિંગથી દૂર થવાના કારણ બન્યા.
આ બીમારીના કારણે થયું ઋષિ કપૂરનું નિધન
ઋષિ કપૂર લ્યૂકેમિયા નામની બીમારીથી બે વર્ષ સુધી ઝઝૂમતા રહ્યાં. તેઓ ન્યૂયોર્કમાં તેની સારવાર કરાવી રહ્યાં હતાં, જ્યાં નીતૂ અને રણબીર તેમની સાથે હતાં. આલિયા ભટ્ટ, જેના હવે રણબીર સાથે લગ્ન થઇ ચુક્યા છે, તે પણ ઘણીવાર તેમને મળવા જતી હતી.
ત્રણેય 2019માં ભારત પરત આવી ગયા હતાં. પરંતુ ઋષિને એપ્રિલ 2020માં મુંબઇની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમનું નિધન થયું. શોમાં નીતૂએ પોતાના પાછલા વર્ષો વિશે પણ ખુલીને વાત કરી અને કહ્યું કે, તે તેના જીવનના સૌથી યાદગાર વર્ષોમાંથી એક હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech