લોક રોષ વચ્ચે વિઠ્ઠલવાડી વિસ્તારમાં ધાર્મિક સહિતના દબાણ દૂર કરાયા

  • March 28, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત જારી રાખવામાં આવી છે. જેમાં શહેરના વિઠ્ઠલવાડી પાસેથી ધાર્મિક સહિતના ૧૦થી વધુ દબાણ હટાવ્યા હતાં. ધાર્મિક દબાણ દૂર કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો.
શહેરના વિઠ્ઠલવાડીથી નિર્મળનગર  સુધીના રોડ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને  દબાણ હટાવ સેલની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની  કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં હનુમાનજીની દેરી, મામાનો ઓટલો,  લારી-ગલ્લા સહિતના ૧૦થી વધુ દબાણ  હટાવવામાં આવ્યા હતાં. ધાર્મિક દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં  નારાજગી સાથે રોષ ફેલાયો હતો. અને દબાણ નહીં હટાવવા લોકોએ જણાવ્યુ હતુ પરંતુ ટીમે લોકોના વિરોધ અને રોષ વચ્ચે  દબાણ તોડી પાડયા હતાં.
મહાપાલિકાએ ગેરકાયદે લારી-ગલ્લાના દબાણ દૂર  કરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. આગામી દિવસોમાં ગેરકાયદે દબાણ દૂર હટાવવાની કામગીરી યથાવત રહેશે તેમ મહાપાલિકાના એસ્ટેટ વિભાગના  સુત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application