પ્રતિ વર્ષ શ્રાવણ સુદ પૂનમના રોજ બળેવ, રક્ષાબંધન અને નાળિયેરી પૂનમનું ત્રીવિધ પર્વ આસ્થા અને હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે. તા.19 ઓગસ્ટને સોમવારે શ્રાવણ સુદ પૂનમના રોજ ત્રિવિધ પર્વની આસ્થા અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે.રક્ષાબંધનના અંતિમ દિવસોમાં બજારમાં ખરીદીની ભીડ જામી રહી છે.
બ્રાહ્મણો સોમવારે વિધિવિધાન પૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે જનોઈ બદલશે.કેટલાક બ્રાહ્મણો તેમના ઘેર, તો કેટલાક મંદિરોમાં તેમજ નદી કિનારે સમૂહમાં જનોઈ બદલશે. ભાવનગર શહેરમાં બ્રાહ્મણોની અનેક જ્ઞાતિઓ દ્વારા સમૂહ જનોઈ બદલવાની વિધિ તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સવારે શુભ મુહૂર્તમાં જનોઈ બદલવામાં આવશે. સોમવારે બીજુ પર્વ રક્ષાબંધનનું મનાવવામાં આવશે.જેમાં બહેનો પોતાના ભાઈઓને શ્રદ્ધા અને સ્નેહપૂર્વક તેમજ મોં મીઠુ કરાવીને રાખડી બાંધી ભાઈના ક્ષેમકુશળ માટે ભગવાનને પ્રાર્થના કરશે. ભાઈઓ ભેટ સોગાદ આપી બહેનને રાજી કરશે. રક્ષાબંધનના અંતિમ દિવસોમાં બજારમાં ખરીદીની ભીડ જામી રહી છે.રક્ષાબંધન પર્વ પુરાણકાલથી મનાવવામાં આવે છે. લક્ષ્મીજીએ પાતાળ લોકના બલિરાજાને રાખડી બાંધી તેમના પતિ વિષ્ણુને મુક્ત કરાવ્યા હતા. યુદ્ધમાં જનાર અભિમન્યુને દાદી કુંતીએરાખડી બાંધી હતી.આ વર્ષે બપોરે 1.32 સુધી ભદ્રા હોવાથી ત્યારબાદ રાખડી બાંધી શકાશે તેવી જાણકારી વિદ્વાનોએ દશર્વિી છે. સોમવારે ત્રીજુ પર્વ નાળિયેરી પૂનમનું મનાવવામાં આવશે. વેપારીઓ દરિયા કિનારે જઈ દરિયાદેવનું વિધિપૂર્વક પૂજન કરશે તેમ જ દરિયાદેવને નાળિયેર અર્પણ કરી તેમના વેપાર ધંધાની ઉન્નતિ માટે દરિયાદેવને પ્રાર્થના કરશે. જ્યારે માછીમારો પણ શ્રાવણ સુદ પૂનમના રોજ દરિયા દેવનું પૂજન કરી ત્યારબાદ માછીમારી માટે દરિયામાં વહાણવટુ ફરી શરૂ કરશે. કારણકે ચોમાસામાં શ્રાવણ સુદ પૂનમ પછી દરિયો મોટાભાગે શાંત બની જતો હોય છે તેવી માન્યતાના કારણે દરિયાદેવના પૂજન બાદ માછીમારો તેમનો ધંધો પુન: શરૂ કરે છે. આમ,સોમવારે ગોહિલવાડમાં બળેવ, રક્ષાબંધન અને નાળિયેરી પૂનમ એમ ત્રિવિધ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech