રિનોવેશનના હેતુથી દસ મહિનાથી બંધ રહેલા રેસકોર્સ સ્વિમિંગ પુલ તરવૈયાઓ માટે આગામી તા.૧લી મે ને ગુરૂવારથી ખુલો મુકાશે. નવી બેચ માટે તા.૨૮ને સોમવારથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થશે.
રાજકોટ મહાપાલિકા હસ્તકની રેસકોર્ષ સ્નાનાગાર શાખા ખાતેના લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ જે હાલ જુલાઇ-૨૦૨૪થી એપ્રિલ-૨૦૨૫ સુધી રિપેરીંગ-રિનોવેશનની કામગીરીના કારણે સ્વિમિંગ પુલ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો હતો. જે હાલ તા.૧-મે-થી ફરીથી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવનાર છે જેમાં સ્નાનાગાર ખાતે શિખાઉ, જાણકાર તથા ચિલ્ડ્રન સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્નાનાગારની સુવિધાઓનુ ત્રિમાસિક રજિસ્ટ્રેશન તા.૨૮ એપ્રિલને સોમવારના રોજ સવારે ૧૧થી www.rmc.gov.in ઉપરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. ગત ચોમાસા દરમ્યાન રેસકોર્ષ લોક માન્ય તિલક સ્નાનાગાર રીનોવેશનની કામગીરી માટે બંધ કરવામાં આવેલ, તથા તે અન્વયે રૂ.૧.૬૩ કરોડના ખર્ચે મુખ્ય સ્વીમીંગ પુલ તથા ચિલ્ડ્રન સ્વીમીંગ પુલની ટાઈલ્સનું નવીનીકરણ તથા વોટરપ્રુફીંગ, ડેક એરિયાનું વિસ્તૃતિકરણ તથા બ્યુટીફીકેશન ચિલ્ડ્રન, બોય્ઝ અને ગર્લ્સ માટે શાવર રૂમ, પતરાંના ટેમ્પરરી પમ્પીંગ રૂમને બદલે નવુ પાકું બાંધકામ,એક્વા જીમ માટે હોલની સુવિધા, બેલેન્સીંગ ટેંકનું વિસ્તૃતિકરણ સહિતના કામો કરીને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech