રાજકોટ વાડીનાર નેશનલ હાઇવે પર ઝાંખર પાટિયાથી વાડીનાર જવાના રસ્તે પાટયેથી અડધો કિલોમીટર અંદર જતા પુલિયા પર મસમોટા ખાડા પડી ગયા છે હજુ તો બે દિવસથી વરસાદ ચાલુ થયો છે અને સરખો વરસાદ પણ નથી પડયો એટલી વારમાં તો પ્રુલિયાની પોલ ખુલી ગઇ છે. આ પુલિયા 10 વાર રિપેર કરવામાં આવ્યું છે. છતાં તંત્ર દ્વારા પુલિયાનું કામ કરવામાં આવે છે. તેમજ નેશનલ હાઇવે હોવાથી ચોવીસ કલાક ધમધમતા રોડ પર વારંવાર પુલિયામાં બે છાંટા પડતા ખાડા પડી ગયેલ છે. ત્યાંથી નીકળવું ખુબ જ મુશ્કેલ છે. તેમજ સામેથી વાહન આવે તો બીજી ગાડીને 100 થી 150 મીટર દુર રહેવું પડે છે. તેમજ ખાડાના હિસાબે ગાડીઓમાં નુકશાન પણ થાય છે, તેની જવાબદારી કોની...? વારંવાર પુલિયામાં ખાડા પડી જાય છે. પણ તંત્ર દ્વારા સરખુ કામ કરવામાં આવતું નથી ખટારા સહિતનાં ભારે વાહનો માંડ માંડ પસાર થઇ શકે છે. અને એક તરફ નમી જવાથી પલ્ટી ખાઇ જવાની દહેશત રહે છે. કયારેક ખાડામાં વાહન ફસાઇ જાય તો ટ્રાફીક થઇ જાય છે. અને ખાડાના બ:ધ પુરવાના કામ નબળા થયા હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના આ ગામને મળ્યું છે એક અનોખું વરદાન, અહીં ઝેરી સાપના ડંખથી પણ કોઈનું મૃત્યુ થતું નથી!
April 08, 2025 12:22 PMફવાદ ખાનના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ
April 08, 2025 12:12 PMખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ
April 08, 2025 12:12 PMસની દેઓલ 30 વર્ષ પછી શાહરૂખ સાથે કામ કરવા તૈયાર
April 08, 2025 12:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech