કેનાલ રોડ ઉપરની લલુડી વોંકળીમાં જેમના મકાનોને ડિમોલિશનની નોટિસો અપાઈ છે તેવા ૧૫૦ નોટિસ ધારકોનો આવાસ યોજનામાં સમાવેશ કરવા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા સમક્ષ વિપક્ષ કોંગ્રેસ દ્વારા રજુઆત કરાઇ છે.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પાઠવેલા આવેદનપત્રમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું છે કે, રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૪ના તા.૨૭-૫-૨૦૨૫થી લલુળી વોકળીમાં ૭૦૦થી વધુ વોકળીમાં અંદર ત્રણ દાયકાથી વધુ સમયથી રહેતા રહેવાસીઓને મહાનગરપાલિકા દ્વારા વોકળા ઉપર વરસાદી પાણીના નિકાલને અવરોધ રૂપ કરેલ દબાણ હટાવવા નોટીસો આપી છે.
હાલમાં દર ચોમાસે હાલ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તેમાં વોંકળો ઉંડો ઉતાર્યા વગર આરસીસીનું કામ કરતા નજીવા વરસાદે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ રહ્યો છે, જેથી અમારી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ રજૂઆત છે કે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવાસ ખંડેર બની ગયા છે અને વર્ષોથી કોઈને આપવામાં આવ્યા નથી જેમાં લલુડી વોકડીની બાજુમાં સોરઠીયાવાડીમાં પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવાસો ધુળ ખાઈ છે. અન્ય સ્થળોએ પણ જે આવાસો ખાલી છે તે આવાસોમાં લલુડી વોકળીમાં જે દબાણકર્તા અને નોટિસો આપવામાં આવી છે તેના આશિયાના દૂર કરતા પહેલા તમામને પડતર આવાસોમાં સમાવેશ કરવા અમારી માંગ છે.
હાલ ચોમાસાની સિઝન હોય ગમે ત્યારે વરસાદ આવવાની શક્યતા છે ત્યારે જે દબાણકર્તાઓના મકાનો ડિમોલિશન કરવામાં આવે તો આવા પરિવારોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે જે પગલે હાલ ચોમાસું નજીક છે તો ડિમોલીશનની પ્રક્રિયા પણ અટકાવવી જોઈએ.
હાલ અમારી જાણ મુજબ સોરઠીયાવાડી પાસે જે આવાસ લાંબા સમયથી પડતર છે તેમાં ૫૫૦ જેટલા પરિવારને સમાવેશ કરી શકાય તેમ છે. હાલ ભારતભરમાં કોઈ જગ્યાએ તેઓ રહેણાંક ન ધરાવતો હોય એ પ્રકારનું સોગંદનામુ આપે તો વોકળીમાંના ૧૫૦ જેટલા પરિવારોનો આવાસમાં સમાવેશ કરી શકાય તેમ છે. પરંતુ ફક્ત ચાર વ્યક્તિએ સોગંદનામુ આપેલ હોય ત્યારે કોકડું ગૂંચવાયું હોય તો અન્ય કોઈ રસ્તો કાઢી દબાણ કરતાં પહેલાં રહેવાસીઓનો આવાસ યોજના સમાવેશ કરવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech