સલાયાથી પરોડીયાને જોડતો ડામર રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે અનેકવાર ગ્રામજનોએ તથા સરપંચ એ લેખિત રજૂઆત કરવા છતાં હજુ આ પ્રશ્ર્ને વણઉકેલ છે, હાલમાં તો આ રસ્તામાં ડામર રોડ હતો કે નહીં એ કહેવું પણ મુશ્કેલ છે. ગાડા માર્ગ જેવો રસ્તો બની ગયેલ છે, જાણવા મળેલ વિગત મુજબ આ રોડ બનાવવાનું કામ પણ મંજુર થઇ ગયેલ છે. છતાં હજુ કામ ચાલુ થયેલ નથી. હાલ આ પરોડીયાથી સલાયા તરફ જવા માટેનો રસ્તો ખરાબ હોય, બીમાર લોકો તેમજ ડીલીવરી માટે જતી ગર્ભવતી સ્ત્રીઓને ભારે તકલીફો સામનો કરવો પડે છે, આવી પરિસ્થિતિથી થાકી આજરોજ પરોડીયાના સામાજિક કાર્યકર તથા ચારણ ગઢવી સમાજના આગેવાન તથા સરપંચ તથા ગ્રામજનોએ સાથે રાખી કલેકટર દેવભૂમિ દ્વારકા સમક્ષ લેખિત રજૂઆત કરેલ છે. તેમજ જો કામ આ ચાલુ આઠ દિવસમાં નહીં થાય તો નાછૂટકે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લેખિતમાં ઉચ્ચારી છે, આ રોડનું કામ તુરંત ચાલુ થાય એ લોકમાંગણી ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech