પોતાના ગુજરાતના ચૂંટણી પ્રવાસના બીજા અને અંતિમ દિવસે અંતિમ જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્ષત્રિય સમાજના આંદોલનથી ઉભી થયેલી પરિસ્થિતીમાં ડેમેજ કન્ટ્રોલ કયુ હતું. જામનગરના રાજવી જામસાહેબને મળી વડાપ્રધાને ક્ષત્રિયોને આડકતરો સંદેશ આપી દીધો હતો.
રૂપાલાના મુદ્દે ક્ષત્રિય સમાજ ગુજરાતમાં વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલની પોતાની મુલાકાતમાં જામસાહેબ સાથેની મુલાકાત કરીને પાઘડી ધારણ કરીને પ્રવચનમાં રાજા–રજવાડાઓના બલિદાનનો ઉલ્લેખ કર્યેા હતો અને એક રીતે ડેમેજ કંટ્રોલ કરવા માટે પરોક્ષ રીતે મોટો પ્રયાસ કર્યેા હતો.કોંગ્રેસને વોટ આપવાના કેટલાક લોકોએ કરેલા સંકલ્પ સંબંધે કેન્દ્ર સરકારનું લોજીક સમજાવતા વડા પ્રધાને કહ્યું કે આ દેશમાં સરકાર બનાવવા માટે કમસેકમ ૨૭૨ સીટ પર વિજય જરૂરી છે, પરંતુ આર્યની વાત એ છે કે માત્ર ભારતીય જનતા પાર્ટી સીવાય કોઇ રાષ્ટ્ર્રીય પાર્ટી ૨૭૨ બેઠક પર ચુંટણી જ લડી રહી નથી તો પછી સરકાર બનાવવાની વાત કયાં આવી, બહત્પમતી બેઠક પર ચુંટણી જ લડી નથી રહ્યા તો વડાપ્રધાન કેવી રીતે બની શકે ?સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે હત્પં આવતી વખતે રસ્તામાં જામસાહેબના દર્શન કરવા ગયો હતો, મારા પર રાજવીર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે, જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કઇં બાકી જ ન રહે, જામ સાહેબનીાથે મારો નજીકનો નાતો રહ્યો છે, હત્પં એમને મળવા ગયો હતો, એમણે મને આશિર્વાદ આપ્યા અને પાઘડી પહેરાવી, અને જામ સાહેબે વિજય ભવ: કહ્યું છે એટલે વિજય નિિત થઇ જાય છે.ગુજરાતનું દેશને બહત્પ મોટું યોગદાન છે, જામનગરના મહારાજા દિગ્વિજયસિંહએ બીજા વિશ્ર્વ યુદ્ધ વખતે પોલેન્ડના નાગરીકોને જામનગરમાં શરણ આપી હતી, એટલા માટે જ આજે યારે પોલેન્ડમાં પાર્લામેન્ટ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ જામનગર અને મહારાજા દિગ્વિજયસિંહનું સ્મરણ કરવામાં આવે છે, એ કારણે જ આજે પોલેન્ડ સાથે ભારતના સંબંધો ખુબ સારા છે.
આપણા દેશના રાજા મહારાજાઓએ અખડં ભારત બનાવવા માટે પોતાનું પેઢીઓ જુનુ રાજપાટ આપી દીધુ હતું, એમના યોગદાનને દેશ કયારેય ભૂલી શકશે નહિં.પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ઇતિહાસની આવી મહત્વપૂર્ણ ઘટનાને નકારી દેવામાં આવી, આજે પણ શહેજાદા જે ભાષા બોલે છે તેનો આ દેશ સ્વીકાર કરે નહિં. એમ કહીને રાહત્પલ ગાંધી અને પ્રિયંકાનું નામ લીધા વગર પ્રહાર કર્યેા હતો.જુની વાત યાદ કરતા એમણે પ્રવચનમાં એમ પણ કહ્યું હતું કે ભુચરમોરીના યુદ્ધની વાત અને ક્ષત્રીય સમાજના આગેવાનો મને આમંત્રણ આપવા આવ્યા, ત્યારે કોઇએ મને કાનમાં કહ્યું કે અમે આમંત્રણ આપવા તો આવ્યા છીએ પરંતુ અત્યાર સુધી કોઇ મુખ્યમંત્રી આવ્યા નથી, તેનું કારણ એ છે કે ભુચરમોરીના યુદ્ધની યાદમાં મનાવાતા પ્રસંગમાં જો કોઇ મુખ્યમંત્રી હાજરી આપે તો તેનું રાજપાટ જતુ રહે છે અને એટલા માટે જ એકપણ મુખ્યમંત્રી આવતા નહોતા, મે કહ્યું કે ક્ષત્રીય સમાજના આ બલીદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી, હત્પં આવીશ અને હત્પં આવ્યો, જામનગર સાથે મારી આવી અનેક યાદો છે આજે ફરી આવવાનો મોકો મળ્યો છે.વડાપ્રધાને કહ્યું હતું કે દેશ માટે યોગદાના આપનારા સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ બનાવાયું અને ત્યાં જ રાજવીઓના ભવ્ય ઇતિહાસ માટે મ્યુઝીયમ બનાવવામાં આવશે, આઝાદીના આટલા વર્ષેા બાદ આ માન સન્માન આપવાનો વિચાર કોઇ સરકારને આવ્યો નથી પરંતુ મેં એટલા માટે કર્યુ છે કે હત્પં ઇતિહાસની મહાનતાને પુજનારો વ્યકિત છું, જે ઇતિહાસ ભૂલી જાય છે તે કયારેય ઇતિહાસ બનાવી શકતા નથી, આમ ક્ષત્રિયોની વાત કરીને વડાપ્રધાને ડાયરેકટ નહીં તો, ઇનડાયરેકટ એક રીતે ડેમેજ કંટ્રોલ કરવાની કોશિષ કરી હતી.કોંગ્રેસને વોટ આપવાનો સંકલ્પ કરનારાઓને વડાપ્રધાને આવા સવાલો કરીને વર્તમાન સ્થિતીમાં ક્ષત્રીય સમાજ દ્રારા કરવામાં આવેલા સંકલ્પની વાતાને ઉલ્લેખ કર્યા વગર આ રીતે સમજાવી હતી. કેટલાક દાખલાઓ તાકીને એમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ જ જયારે કોંગ્રેસને વોટ આપવાની સ્થિતીમાં નથી ત્યારે તમે શુકામ વિચારી રહ્યા છો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech