યજમાન પરિવારને સલાયા લોહાણા મહાજને કર્યા સન્માનિત
જામનગરના રઘુવંશી અગ્રણી વેપારી વૈજનાથ અનાજ ભંડાર બેડી વારા શ્રી ભગવાનજી જયંતીભાઈ સોમૈયા પરિવાર દ્વારા જામનગરના ગાંધીનગરમાં ઇછેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 51 શક્તિપીઠના માતાજીના મંદિર બનાવવામાં આવ્યા છે. જેનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં શાસ્ત્રીજી જગદીશભાઇ આચાર્ય (કથાકાર) દ્વારા પૂજન અર્ચન કરવામાં આવેલ હતું.
આ ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજરોજ છેલા દિવસે હવન તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સલાયા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ લાલ, સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા, જલારામ સેવા સમિતિના સભ્યો દ્વારા આયોજક અને આ મંદિરના દાતા ભગવાનજીભાઈને સાલ ઓઢાડીને સન્માન કરેલ, આ અવસરે યજમાન પરિવારના હિરેનભાઈ તથા કલ્પેશભાઇ પણ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech