સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 15 જુલાઈ થી પરીક્ષાનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. નવા શૈક્ષણિક સત્રમાં કોલેજો ખુલ્યાના બીજા જ દિવસથી પરીક્ષા લેવાયા પછી હવે બીજા તબક્કામાં તારીખ 15 જુલાઈ થી જુદા જુદા 24 કોર્ષની પરીક્ષા લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અનુસ્નાતક કક્ષાની આ પરીક્ષામાં બીએ, બીકોમ અને એમએએમકોમના સેમેસ્ટર 4,6 અને 7 ની પરીક્ષા લેવામાં આવનારી છે. પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરના 12- 30 સુધીનો અઢી કલાકનો રાખવામાં આવ્યો છે.
બી.એમાં રેગ્યુલર- એક્સટર્નલ સેમેસ્ટર 6 બી એસ ડબલ્યુ સેમેસ્ટર 6 એમ.એ તમામ સેમેસ્ટર બીબીએ સેમેસ્ટર 6 બીએચટીએમ સેમેસ્ટર સાત બીકોમ સેમેસ્ટર 6 એમકોમ સેમેસ્ટર ચાર બીસીએ બીએસસી આઈટી બીએસસી સેમેસ્ટર 6 સહિતની પરીક્ષાઓ લેવામાં આવશે.
15 જુલાઈથી શરૂ થતી આ પરીક્ષાઓ 23 જુલાઈ સુધી ચાલુ રહેશે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતી અટકાવવા માટે જુદી જુદી ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં જ સીસીટીવીની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે સરકારી હોસ્પિટલના ડોક્ટર કમલભાઈ ડોડીયાની નિમણૂક કરવામાં આવી છે. તેમના માટે આ પ્રથમ પરીક્ષા છે. જોકે અગાઉ 2018 માં તેમણે થોડા સમય માટે ઇન્ચાર્જ કુલપતિની જવાબદારી સંભાળી હોવાથી આ અંગેનો અનુભવ છે. આવી જ રીતે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ રાજીનામું આપીને લાઇબ્રેરીયન તરીકેની પોતાની મૂળભૂત જવાબદારી સ્વીકારી છે અને હવે તે પરીક્ષા નિયામકના ચાર્જમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech