પોલીસ કોન્સ્ટેબલે પૂરપાટ ઝડપે કાર ચલાવી 3થી 4 વાહનને ઉલાળ્યા, 4 લોકોને ઈજા, એકની હાલત ગંભીર

  • June 01, 2025 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના રાણીપ વિસ્તારમાં બકરા મંડી પાસે પૂરઝડપે આવતી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કારચાલકે 3-4 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 3થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા જ્યારે એકની હાલત ગંભીર છે.


મળતી માહિતી મુજબ, અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આરોપી કોન્સ્ટેબલ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, પોલીસ કોન્સ્ટેબલ નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોએ કહ્યું કે, 'યુવરાજસિંહ વાઘેલા નામના કોન્સ્ટેબલે અકસ્માત કર્યો'. અકસ્માત કરનારની કારમાં નંબર પ્લેટ પણ ન હતી. પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ શરૂ કરી છે.


અમદાવાદમાં નબીરાઓ બેફામ

ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાઇવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application