ધો. ૬, ૭ અને ૮ ના પુસ્તકોમાં દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો શિખવાડવા માંગ
ધોરણ ૬, ૭ અને ૮ ના પુસ્તકમાં ભગવદ ગીતાના પાઠનો સમાવેશ કરાયો છે. અને ધોરણ ૧૨ નાં સમાજશાસ્ત્ર માં બોદ્ધ ધર્મ વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. આ સંદર્ભે સ્વયમ્ સૈનિક દળ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પુસ્તકો પરત ખેંચી લેવા માટે માગણી કરવામાં આવી હતી. અને રજૂઆત કરવામાં આવી હતી . પત્રમાં જણાવ્યું હતું કે તમામ ધર્મોના સારા સિદ્ધાંતો અને મૂલ્યો ને સમાવી પુસ્તક બહાર પાડવું જોઈએ, સરકાર દ્વારા વિવિધ ધર્મો વચ્ચે સંઘર્ષ ઊભો કરવાના પ્રયાસ કરી રહી છે. જો તમામ ધર્મોના સિદ્ધાંતો અને મૂલ્યો ને સમાવતું પુસ્તક બહાર નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્વયમ્ સૈનિક દળ દ્વારા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech