અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડ્યા, પંથકમાં ફફડાટ વ્યાપી ગયો

  • March 13, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી પંથકમાં આજે સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 10.12 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના આંચકાથી લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે હાલ કોઈ જાનમાલને નુકસાન થયું હોય તેવા અહેવાલ નથી. આ અંગે વહીવટી તંત્ર પણ સાવચેતી રાખી રહ્યું છે. 


બે દિવસ પહેલા કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 14 કિલોમીટર દૂર હલરા અને રામપર વચ્ચે મધ્યરાત્રે 1.11 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જે બાદ બીજા દિવસે સવારે 11:12 મિનિટે ભચાઉ નજીક 3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

કચ્છમાં 11 કલાકમાં ભુકંપના બે આંચકા નોંધાયા હતા. પૂર્વ કચ્છ વાગડ વિસ્તારમાં આંચકા નોંધાયા હતા. રાત્રે 1.11 વાગ્યે 2.8 તીવ્રતાનો આંચકો આવ્યાં બાદ આજે 11:12 મિનિટે ભચાઉ નજીક 3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News