કોલકાતાના બોઉબજાર વિસ્તારમાં દુર્ગા ટ્રેક લેન હેઠળ પિતુરી ટનલનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે વિસ્તારના અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. આ કારણોસર મેટ્રો વહીવટીતંત્રે ઉતાવળમાં મોડી રાત્રે ઘણા પરિવારોને બહાર કાઢ્યા અને હોટલોમાં શિફ્ટ કર્યા હતા. આ પહેલા પણ દુર્ગા પિતુરી લેનમાં ત્રણ વખત ઘરોમાં તિરાડો પડી ગઈ હતી, જેના કારણે લોકોએ ઘર છોડવું પડ્યું હતું.
આ વિસ્તારના લોકોએ આજે સવારે વિરોધ કર્યો હતો અને મેટ્રો પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોનો આરોપ છે કે મેટ્રો ટનલના ડ્રિલિંગને કારણે આ બધું થયું છે.
જાણો શું છે સમગ્ર મામલો
બોઉબજાર વિસ્તારમાં દુર્ગા પિતુરી લેનમાં રહેતા લોકો અને કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ લોકો ઈમારતોમાં વારંવાર પડતી તિરાડો અને પાણીના લીકેજથી ચિંતિત છે. લોકોનો આરોપ છે કે મેટ્રો ટનલના ડ્રિલિંગને કારણે તેમના ઘરોમાં તિરાડો પડી રહી છે. આ દરમિયાન સાવચેતી રૂપે KMRCLએ રાત્રે 52 લોકોને સ્થાનિક હોટલોમાં મોકલ્યા હતા. પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોરના સિયાલદાહ-એસ્પ્લેનેડ વિભાગમાં ટનલ ડ્રિલિંગ દરમિયાન ભૂગર્ભ જળ લિકેજના અહેવાલોને પગલે KMRCLએ આ પગલું ભર્યું છે.
KMRCLના અધિકારીએ આપી આ માહિતી
આ અંગે કેએમઆરસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે 11 પરિવારોના 52 લોકોને નજીકની ચાર હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એન્જિનિયરોએ જણાવ્યું કે લીકેજ બંધ થઈ ગયું છે. અમે હવે એકથી બે દિવસ મોનીટરીંગ કરીશું. આ પછી અમે રહેવાસીઓને પાછા આવવાની મંજૂરી આપીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech