લાતીબજાર વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે લોકોને ભારે હેરાનગતિ

  • May 27, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાતીબજાર વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. અગાઉ અનેક વખત રજૂઆત થઇ હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યુ નહીં હોવાથી વધુ એક વખત રજૂઆત થઇ છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને મેમણવાડમાં રહેતા અબ્દુલ રફીક રાવડાએ લેખિત રજૂઆત કરી જણાવ્યુ છે કે લાતીબજારથી મચ્છી માર્કેટ અને મટન માર્કેટ સુધીનો રોડ અત્યંત બિસ્માર છે.પોરબંદર-છાયા નગરપાલિકાના વોર્ડ નં. ૭માં આવતા લાતીબજાર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો ખૂબજ અભાવ છે. ખાસ કરીને આ વિસ્તારના રોડ, રસ્તાની  દયનીય હાલત છે, ડામર રોડ બનાવવામાં અવો છે તો થોડા દિવસોમાં જ મસમોટા ખાડા પડી જાય છે. જેથી આ વિસ્તારના વેપારીઓની સુવિધા અર્થે સિમેન્ટ રોડ બનાવવો ખૂબજ જ‚રી છે તેમજ આ વિસ્તારમાં રોડની બન્ને સાઇડમાં બ્લોક નાખવાનું કામ પણ બાકી હોવાથી તે વહેલી તકે શ‚ કરવા અમારી રજુઆત છે.
આ વિસ્તારમાં મચ્છીના વેપારીઓ, મટનના વેપારીઓ, લાતી બજારના વેપારીઓ સહિત આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય ઉપરોકત બાબતે તાત્કાલિક યોગ્ય કરવા અપીલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News