મુંબઈનો એરટ્રાફિક રાજકોટના મુસાફરોને અડચણરૂપ બની રહ્યો છે. બે દિવસમાં 10 ફ્લાઈટ તેના નિધર્રિીત સમય કરતા મોડી હતી. ત્યારે ગઈકાલે પણ મુંબઈની ફ્લાઈટ દોઢ કલાક મોડી ઉડી હતી. જેના કારણે 140 જેટલા પેસેંજરોને એરપોર્ટ પર બેસી રહેવાનો વારો આવ્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર, ગઈકાલે સાંજે 7.40ની રાજકોટ થી મુંબઈ માટેની ફલાઈટ રાત્રે 9:45કલાકે ઉડી હતી. જ્યારે ઈન્ડીગોની ફ્લાઈટ પણ રાત્રે 8:00 કલાકે રાજકોટ થી રવાના થઈ હતી.
મુંબઈ એરપોર્ટ પર છેલ્લા ઘણા દિવસોથી ભારે ટ્રાફિક ના લીધે મુંબઈથી અન્ય શહેરો માટે ઉડાન ભરતી અન્ય ફ્લાઈટ મોડી થઈ રહી છે. આ આ બાબતે દ્વારા મુંબઈ ઓથોરિટી ને રજૂઆત પણ કરવામાં આવી હતી.
લગાતાર છેલ્લા એક અઠવાડિયાથી ફલાઇટની ઉડાનમાં વિલંબ થઈ રહ્યો હોવાથી ખાસ કરીને ઇન્ટરનેશનલ ફ્લાઈટ ના મુસાફરોને પરેશાની ભોગવી પડી રહી છે રાજકોટ થી મુંબઈ માટે ઉડાન ભરતી ફ્લાઈટમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસના મુસાફરો ની સંખ્યા વધારે હોય છે. રાજકોટ થી ઈન્ડીગો અને એર ઇન્ડિયા ની ફ્લાઈટ જે સાંજે ઉડાન ભરે છે તેમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ની સંખ્યા વધારે છે કારણ કે મુંબઈ એરપોર્ટ પરથી રાત્રે એક વાગ્યે યુએસ અને યુકે માટેની ઇન્ટરનેશનલ ફ્લાઈટ હોવાના લીધે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રથી જે મુસાફરો આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી લેવાના છે તે રાજકોટથી છેલ્લી ફ્લાઇટ પસંદ કરે છે. પરંતુ મુંબઈમાં વધેલા એ ટ્રાફિકના લીધે ત્યાંથી ફ્લાઇટને સિગ્નલ મળતું ન હોવાના લીધે રાજકોટ આવતી ફલાઈટ બે કલાક જેટલી મોડી હોવાથી આખું સમય પત્રક વેરવિખેર થઈ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech