પહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી

  • April 23, 2025 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સાઉદી અરબના પ્રવાસને ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી પરત ફરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન આજે રાત્રે જ દિલ્હી પહોંચી જશે.



જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. હુમલામાં 30 લોકોના માર્યા જવાની આશંકા છે. સ્થાનિક પ્રશાસન તરફથી 16 મૃતકો અને 10 ઘાયલોની યાદી જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે, જ્યાં તેમણે મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application