ઉત્તર ભારતમાં ગરમીનો કહેર યથાવત છે. આ કાળઝાળ ગરમી અને ગંગા નદીના ઘટતા જળસ્તરના કારણે પાણીમાં રહેતા જીવોનાં જીવ જોખમમાં મુકાયા છે. પાણીમાં સતત ઓક્સિજનની અછતને કારણે પાણીના તળીયે રહેતા પ્રાણીઓને પૂરતો ઓક્સિજન મળતો ન હોવાથી તેમનું જીવન જોખમમાં મૂકાયું છે.
ઉત્તર પ્રદેશની કાશી હિંદુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા અભ્યાસ અનુસાર કાનપુર અને કન્નૌજ સુધી ગંગાના ઓક્સિજનના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ગંગાના તળિયે રહેતા જીવો માટે જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. જો ગંગા નદીમાં પાણીનું સ્તર આમ જ રહેશે તો નદીમાં રહેતા જળચર જીવો માટે જીવવું મુશ્કેલ બનશે.
વારાણસીમાં ગંગાની તળેટીમાં ઓક્સિજનનું સ્તર 3 મિલિગ્રામ/લિટર કરતાં ઓછું જોવા મળ્યું હતું. જે અસ્સી ઘાટની સામે સપાટીથી 300 મીટર નીચે છે. જે ઓક્સિજનના પ્રમાણભૂત સ્તર કરતાં ઓછું છે. કાનપુરમાં તેની સ્થિતિ વધુ દયનીય છે.જ્યાં તે કાનપુર અને કન્નૌજમાં 600 મીટર જેટલી નીચી છે. સામાન્ય રીતે ઓક્સિજનનું પાણીનું સ્તર 5 થી 6 મિલિગ્રામ/લિટર હોવું જોઈએ.
આ પાછળનું કારણ શું?
ગંગાના નીચા જળ સ્તરનું કારણ ગટર વ્યવસ્થા છે. આ સિસ્ટમ દ્વારા કાર્બન અને પ્રદૂષણ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. વધતા પ્રદૂષણને કારણે ગંગા નદીની સ્વચ્છતા બગડી રહી છે અને ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું છે. ઓક્સિજન ઘટવાને કારણે પાણીમાં રહેતા જીવો મરી રહ્યા છે. ગંગાનું સ્વચ્છ પાણી સતત પ્રદૂષિત થઈ રહ્યું છે. લોકો પોતાના રોજિંદા જીવનમાં દેશના વિવિધ ભાગોમાં વહેતી નદીના પાણીનો સીધો ઉપયોગ કરતા હતા પરંતુ હવે આમ કરવું કોઈના જીવ માટે જોખમ બની શકે છે. કારણકે ગંગાનું પાણી હવે પહેલા જેવું સ્વચ્છ નથી રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech