ગુજરાત રાયમાં સ્વાઇન લૂના કેસ વધતા તકેદારી અને સાવચેતીના ભાગપે રાજકોટ શહેરમાં સ્વાઈન લૂના કેસનો સર્વે કરવા તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા આરોગ્ય શાખાને હત્પકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાનગી હોસ્પિટલો તેમજ લેબોરેટરીઓમાંથી આ અંગેની વિગતો મંગાવાઇ છે, રાજકોટ શહેરમાં સ્વાઇન ફલૂની સ્થિતિ ગંભીર નથી તેવું તંત્રવાહકો કહે છે પરંતુ ઉનાળામાં પણ શરદી ઉધરસના કેસ ન ઘટતા નથી તે સ્થિતિ ચિંતાજનક છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલે આરોગ્ય શાખાને એવો આદેશ કર્યેા છે કે શહેરની તમામ ખાનગી હોસ્પિટલો, લેબોરેટરીઓ અને કિલનિકમાંથી સ્વાઇન ફલૂના કેસ અંગેના રોજે રોજના રિપોર્ટ મેળવતા રહો. સાચી સ્થિતિની તપાસ કરો અને તકેદારીના જરી પગલાં લ્યો તેમજ લોકોને જાગૃત કરો. શરદી–ઉધરસના કેસોના નવા ટ્રેન્ડ ઉપર નજર રાખો અને શહેરમાં શું સ્થિતિ છે તેનો રિપોર્ટ આપો. શહેરના કયા ઝોન અને વોર્ડમાં શરદી ઉધરસના વધુ કેસ છે તેનો કમિશનરને રિપોર્ટ કરો અને આવા વિસ્તારોમાં વધું ધ્યાન આપો.
દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે હજુ સુધી રાજકોટ શહેરમાં સ્વાઇન લૂ મામલે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને સ્વાઇન લુનો કોઇ ગંભીર કેસ નોંધાયો નથી તેમ છતાં આરોગ્ય કેન્દ્રોમાં તાવ શરદી અને ઉધરસની દવા લેવા આવતા દર્દીઓમાંથી કોઇ શંકાસ્પદ જણાય તો તેમને તુરતં એચવનએનવનના ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે.મહત્વપૂર્ણ છે કે સ્વાઇન ફલૂ મતલબ કે એચવન એન વન ફલૂ મામલે આરોગ્ય વિભાગ દ્રારા દર્દીઓની એ, બી અને સી મુજબ ત્રણ કેટેગરી નક્કી કરાઇ છે જેમાં એ–કેટેગરીમાં સામાન્ય શરદી ઉધરસ, બી–કેટેગરીમાં આરોગ્ય કેન્દ્રો કે ખાનગી હોસ્પિટલો સ્વાઇન ફલૂની દવા આપવાનું શ કરે છે અને સી–કેટેગરી કે જેમાં પંદર દિવસ કે વધુ સમયથી શરદી ઉધરસ હોય અને દવા લીધા પછી પણ કોઈ ફેર પડતો ન હોય તેવા દર્દીઓનો સમાવેશ થાય છે તેમને હોસ્પિટલાઇઝ કરવાની જર પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાયમાં સ્વાઇન ફલૂના કેસ આ વર્ષે વધ્યા છે, ગઇકાલની સ્થિતિએ છેલ્લા ત્રણ માસમાં ૬૩૦ કેસ અને ૧૫ના મોત થયાના અહેવાલો બહાર આવ્યા હતા. જો કે હવે એચવનએનવન લુને આરોગ્ય વિભાગ દ્રારા ટિન લુ તરીકે જ વ્યાખ્યાયિત કરાયો હોય તેથી તેની અલગ નોંધ લેવાતી નથી કે જાહેર કરાતી નથી પરંતુ સ્થિતિ ચિંતાજનક તો છે જ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech