મુસાફરને જ્યાં જવું છે તે બસ હાલ ક્યાં છે અને ત્યાંથી કેટલા સમયમાં રાજકોટ પહોંચશે તેની જાણકારી માટે રાજકોટ એસટી બસ પોર્ટ ઉપર મુકાયેલી સ્ક્રીનમાં જીપીએસના માધ્યમથી માહિતી મેળવી શકાય છે. આ સિસ્ટમ છેલ્લા છ મહિનાથી રાત્રે નવથી સવારે પાંચ સુધી બંધ રાખવામાં આવતી હોય રાત્રી દરમિયાન આવતા મુસાફરો પરેશાન થતા હતા.દરમિયાન આ અંગે નિગમના એમ.ડી.ને ફરિયાદ કરાતા ૪૮ કલાકમાં સિસ્ટમ ચાલુ કરીને રિપોર્ટ કરવા આદેશ કરાયો છે જેના પગલે દોડધામ મચી છે.
રાજકોટ એસ.ટી બસપોર્ટ ઉપર રાત્રિના સમયે જીપીએસ સિસ્ટમ શોભાનો ગાંઠિયો બની જાય છે. અને રાત્રે ૯ થી સવારના પાંચ સુધી કોઈ પણ અકળ કારણસર સિસ્ટમ સદંતર બંધ કરી દેવામાં આવે છે, આવું છેલ્લા છ માસથી ચાલે છે. આ અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા એસટી નિગમના એમ.ડી.ને જીપીએસ સિસ્ટમ શરૂ કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે અન્વયે એસટીની વડી કચેરીના ઇડીપી મેનેજરે વિભાગીય નિયામક રાજકોટને જીપીએસ સિસ્ટમ શરૂ કરવા તાકીદ કરી હતી છતાં કામગીરી કરાઇ ન હતી જેથી તાજેતરમાં વધુ એક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા વડી કચેરી દ્વારા રાજકોટના વિભાગીય નિયામકને જીપીએસ સિસ્ટમ અંગે તાત્કાલિક ૪૮ કલાકની સમય મર્યાદામાં સમસ્યાનું નિરાકરણ કરી ઉકેલ લાવવા આદેશ કર્યો છે.
રાજકોટ એસટીને વેકેશનમાં ૨૦.૪૫ કરોડની આવક
રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે એસટી બસ પોર્ટ ઉપર ચિક્કાર મેદની જોવા મળી રહી છે. એસ.ટી તંત્રના જણાવ્યા મુજબ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું છે અને રાજકોટ ડિવિઝનને ૨૦.૪૫ કરોડની બમ્પર આવક થઇ છે કુલ ૫૮,૦૦૦ ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેમાં પોણા બે માસમાં ૩૩.૯૭ લાખ મુસાફરોએ મુસાફરી કરી છે જે ગત વર્ષની તુલનાએ ૩૦,૦૦૦ વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech