જામનગરમાં અધિકારી-ઇન્સ્પેકટર રાજ...! કરદાતાઓને જી.એસ.ટી. રીફંડમાં પગે પાણી

  • June 05, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં કરદાતાઓને જી.એસ.ટી. રીફંડ મેળવવામાં પગે પાણી ઉતરી રહ્યા છે જેની પાછળ અધિકારીઓ અને ઇન્સ્પેકટર રાજ પણ એક મુખ્ય કારણ હોવાની ફરિયાદો કરદાતાઓમાં જોરશોરથી ઉઠી છે. વેપારીઓ કોઇ કારણોસર ધંધાના સ્થળે હાજર ન હોય, જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા હોવાની તથા જીા.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં નિયત સમય મર્યાદાના બદલે એક બે દિવસ બાકી હોય ત્યારે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતી હોય, પારાવર મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો પણ વ્યાપક બની છે. 


જી.એસ.ટી. કાયદાનો અમલ વર્ષ ૨૦૧૭થી શરૂ થયો છે. ત્યારથી અત્યાર સુધીમાં સમયાંતરે કાયદામાં અનેક સુધારા થઇ રહ્યા છે આટલુ જ નહિ ૯૦૦ જેટલા સુધારાના નોટીફીકેશન અને સરકયુલર બહાર પાડવામાં આવ્યા છે. જેને સમજવામાં હજુ પણ વેપારીઓને તો ઠીક ટેકસ ક્ધસ્લન્ટોને પણ મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિમાં જામનગરના કરદાતાઓને જીએસટી રીફંડ મેળવવામાં પગે પાણી ઉતરી રહ્યા છે. 


કારણકે ત્રીજા અને ચોથા સ્ટેજના વેપારીઓની ખરીદી બોગસ છે તે સહિતના કારણો આપીને રીફંડ અટકાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો કરદાતાઓમાં વ્યાપક પ્રમાણમાં ઉઠી છે. નવાઇની વાત તો એ છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ આ પ્રકારના કોઇ ત્રીજા કે ચોથા સ્ટેજની ખરીદી તપાસવાના નિયમો ન હોવાનું જીએસટી કાયદાના તજજ્ઞોએ જણાવ્યું છે ત્યારે  આ પ્રકારની નોટીસો વેપારીઓને ફટકારવા પાછળ શું અને કોનો મલીન ઇરાદો છે તે તપાસનો વિષય બન્યો છે. વધુમાં વેપારીઓ પાસે કોઇ એવી સુવિૂધા નથી કે તે ચોથા સ્ટેજના વેપારીની ખરીદી તપાસી શકે. આટલુ ઓછુ હોય તેમ રીફંડના મોટા ભાગના કેસમાં વેપારીઓની ભૂલ અને તેઓ જ ચોર હોય તે પ્રકારનો વ્યવહાર કરી હેરાન પરેશાન કરવામાં આવતી હોવાની બુમ પણ જોરશોરથી ઉઠી છે. 


આર્શ્ર્યની વાત તો એ છે કે સીધા અને સરળ રિફંડના કેસમાં પણ બિનજ‚રી કવેરી એટલે કે ભૂલો કાઢી કયા ઇરાદાથી વેપારીઓને પરેશાન કરી બે બે મહિના સુધી રીફંડની અરજીનો નિકાલ કરવામાં ન આવતો હોવાની રાવ પણ વેપારીઓમાં પણ જોરશોરથી ઉઠી છે. આ કપરી સ્થિતિ વચ્ચે નીતનવી નોટીસો વેપારીઓને ફટકારવામાં આવતી તથા નવા જીએસટી રજીસ્ટ્રેશનમાં સ્થળ તપાસ જે અધિકારીઓ કરે છે તેને કાયદરાની યોગ્ય સમજ ન હોવા છતાં બીન જરૂ​​​​​​​રી દસ્તાવેજોની માઁગણી કરી પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનુ પણ અંતરંગ સુત્રોએ જણાવ્યું છે. 


આટલુ જ નહિ જે વેપારીઓ પાસે જીએસટી નંબર છે તે વેપારીઓનાં ધંધા રોજગારના સ્થળની તપાસ સમયે કોઇ કારણોસર તે વેપારી હાજર ન હોય તો જીએસટી નંબર અધિકારીઓ દ્વારા સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે. ત્યારબાદ આ નંબર પુન: ચાલુ કરવા માટે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવે છે. આ સ્થિતિ છેલ્લા ઘણા સમયથી પ્રવર્તી રહ્યાની ફરિયાદો પણ વેપારીઓમાં ઉઠી છે. આમ જામનગરમાં સ્ટેટ  જીએસટી વિભાગમાં અધિકારીઓ અને ઇન્સ્પેકટર રાજ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે જેના કારણે વેપારીઓ અને કરદાતાઓ પારાવર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 


ખાસ કરીને જાહેર જનતાના સેવકોને મળવા માટે પણ કરદાતાઓને નામ અને કામની ચિઠ્ઠી મોકલવી પડે છે અને ત્યારબાદ અધિકારીઓ મળવા માટેની જરૂ​​​​​​​ર લાગે તો પરવાનગી આપે છે.  જેના કારણે મોટા ભાગના કિસ્સામાં અરજદારોને ધક્કા થઇ રહ્યાની રાવ પણ વેપારીઓને જીએસટીનું કામ કરતા ટેકસ ક્ધસલન્ટન્ટોમાં ઉઠી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application