પોરબંદરમાં માહી ગ્રુપ દ્વારા શનેશ્ર્વરી અમાસ નિમિત્તે સેવાકાર્યો યોજાયા હતા.
પોરબંદરની સતત સેવાકાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવાકાર્યો દ્વારા થતી હોય છે,ત્યારે ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા શનિ અમાસ નિમિત્તે ગ્રુપના સભ્ય હરીશભાઈ ચંદારાણા (યુ.કે.) સહયોગથી ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબુતરોને ચણ,શ્વાનને બિસ્કિટ અને દુધ,કીડીને કીડીયા, માછલીઓને ભોજન,વિદેશી પક્ષીઓને ખોરાક સહિત વિવિધ સેવાકાર્યોના આયોજન તેમજ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોને કેરીનો રસ અને ઢોકળાની ભોજન પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ તેમજ શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા અને ગ્રુપના સક્રિય સેવાભાવી સભ્ય ડો.સુરેખાબેન શાહ પરિવારના સહયોગથી રોહિતસિંહબાપુની આનંદ ગૌશાળાએ ગાયમાતાને ઘાસચારાનું વિતરણ તેમજ શ્વાનને દુધ અને બિસ્કીટનું વિતરણ કરી અને વિવિધ સેવાકાર્યો દ્વારા શનિ અમાસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,ઉપરોક્ત સેવાકાર્યોના આયોજનમાં ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ઉપપ્રમુખ અનિલભાઈ બથિયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, સહ ખજાનચી જયેશભાઈ પાંઉ, મંત્રી ભરતભાઈ ભટ્ટ,સહમંત્રી મિલનભાઈ પરમાર,કમિટી મેમ્બર્સ કારાભાઈ પાંડવ,રાજેન્દ્રભાઈ મહેતા સહિત વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech