સરકારે વયસ્ક નાગરિકોને ઘરેથી પોસ્ટલ બેલેટ દ્રારા મતદાન કરવાની સુવિધા આપવા માટેના ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યેા છે અત્યાર સુધી દેશમાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકો આ સુવિધા માટે પાત્ર હતા. પરંતુ હવે ચૂંટણી પંચની ભલામણ બાદ સરકારે તેમાં ફેરફાર કર્યેા છે. આ અંગે નોટિફિકેશન બહાર પાડતા કાયદા મંત્રાલયે કહ્યું કે ચૂંટણી આચાર નિયમો ૧૯૬૧માં સુધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત ફકત ૮૫ વર્ષની વય વટાવી ચૂકેલા વૃદ્ધ મતદારો જ આ સુવિધા મેળવી શકશે. એપ્રિલ–મે ૨૦૨૪માં યોજાનારી ૪ રાયોની લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલા આ ફેરફાર કરવામાં આવ્યો છે.
૯ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે દેશમાં કુલ મતદારોની સંખ્યા પણ જાહેર કરી હતી. આ અંગે, ૨૮ રાયો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના મતદાતાઓ સાથે સંબંધિત સ્પેશિયલ સમરી રિવિઝન ૨૦૨૪ રિપોર્ટમાં ચૂંટણી પંચનું કહેવું છે કે હવે આગામી લોકસભા ચૂંટણીમાં ૯૭ કરોડ લોકો મતદાન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે દેશમાં ૧.૮૫ કરોડ મતદારોની ઉંમર ૮૦ વર્ષથી વધુ હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, દેશમાં હજુ પણ ૧૦૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૨.૩૮ લાખ મતદારો છે.
જારી કરાયેલી સૂચના સાથે, ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને આદર્શ આચારસંહિતા અંગે ચેતવણી પણ આપી છે. આ સંદર્ભમાં, ચૂંટણી પંચનું કહેવું છે કે ૨૦૨૪માં આવનારી સામાન્ય ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ જાહેર પ્રચારમાં સનતા જાળવી રાખવી જોઈએ. આ સાથે પંચનું કહેવું છે કે જો કોઈ પાર્ટી કે કાર્યકર્તા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech